દિવાળી હિંદુ ધર્મનો મોટો તહેવાર ગણવામાં આવે છે. 27 ઓક્ટોબરે દિવાળીનો તહેવાર ઉજવાશે. આ સમયે ઘરમાં માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. મા લક્ષ્મીની પૂજાની સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે. જો તમે દિવાળી પહેલાં ઘરમાં આ 8માંથી કોઈપણ 1 ચીજ લાવો છો તો તમારા ઘરમાં સમૃદ્ધિ આવી શકે છે અને ધનસંબંધી તકલીફો ઘટે છે.
શ્રીયંત્ર
દેવી લક્ષ્મીની કૃપા દૃષ્ટિ મેળવવા માટે ઘરમાં શ્રીયંત્રની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે. શ્રીયંત્રમાં લક્ષ્મીજી સિવાય 33 અન્ય દેવી દેવતાઓના ચિત્ર હોય છે. તેને ઘરમાં લાવવાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
મોતી શંખ
આ શંખની વિધિ-વિધાનની સાથે પૂજા કર્યા બાદ તિજોરીમાં રાખો. માન્યતા છે કે મોતી શંખ રાખવાથી રૂપિયા ઘરમાં ટકે છે અને માણસનું ભવિષ્ય સુધરે છે.
લક્ષ્મી કોડી
ઘર્મ ગ્રંથ અનુસાર લક્ષ્મી સમુદ્રથી મળી છે અને સાથે કોડી પણ સમુદ્રથી મળેલી છે. કોડીમાં ધનને આકર્ષિત કરવાનો સ્વાભાવિક ગુણ હોય છે. કોડીને મા લક્ષ્મી સાથે જોડવામાં આવે છે.
ગોમતી ચક્ર
ગોમતી ચક્ર ગુજરાતની ગોમતી નદીમાં મળે છે. આ સુદર્શન ચક્ર તરીકે પણ ઓળખાય છે. તમે પીળા કપડામાં 11 ચક્ર બાંધો અને તમારી પાસે સુરક્ષિત રીતે રાખો. આમ કરવાથી તમારા ઘરમાં રૂપિયાની અછત નહીં રહે.
આંકડાના મૂળ
શુક્રવારના દિવસે વિધિ વિધાન સાથે સફેદ આંકડાની જડની પૂજા કરો. હવે તેને તિજોરીમાં મૂકો, તેનાથી આર્થિક સ્થિતિ સુધરશે.
દક્ષિણાવર્તી શંખ
શાસ્ત્રોમાં દક્ષિણાવર્તી શંખનું વિશેષ મહત્વ છે. એક મોટા લાલ કપડાંમાં શંખ લપેટી લો અને સાથે ઓમ શ્રી લક્ષ્મી સહોદરાય નમઃનો જાપ કરીને ધનના સ્થાને રાખો.
નાનું નારિયેળ
માન્યતા છે કે નાનું નારિયેળ મા લક્ષ્મીની કૃપા વરસાવે છે. તે સામાન્ય નારિયેળથી અલગ હોય છે. એક લાલ કપડાંમાં 11 નાના નારિયેળને લપેટીને તિજોરીમાં રાખો. તમારા ઘરમાં બરકત રહેશે.
કમલ ગટ્ટા
કમલ ગટ્ટા કમળના બીજથી બને છે, દેવી લક્ષ્મીને પણ કમળ કહેવામાં આવે છે. કમળના પાંચ અંગોમાં દેવી કમળનો વાસ રહે છે. કમળની માળા પણ મા લક્ષ્મીના ચિત્ર પર રાખીને પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.