સિક્કાઓમાં ચાંદીને બદલે, તેઓ 99 ટકા ગિલ્ટ અથવા જર્મન ચાંદીનું મિશ્રણ કરે છે. તેમના પર સિલ્વર કોટિંગ કરીને તેમને માર્કેટમાં ઉતારવામાં આવે છે.
ધનતેરસ પર ચાંદીના સિક્કા ખરીદવાનું ખૂબ મહત્વ
પરંતુ સિક્કા ખરીદતા પહેલા પ્યોરિટી કરી લેજો ચેક
જાણો તેને ચેક કરવાની પ્રોસેસ વિશે
દેશભરમાં ફેસ્ટિવલનો માહોલ શરૂ થઈ ગયો છે. દિવાળી પહેલા ધનતેરસનો તહેવાર આવવાનો છે. આ દિવસે લોકો ચાંદીની વસ્તુઓ ખરીદીને પોતાના ઘરે લાવે છે. જો તમે ધનતેરસ પર ચાંદીના સિક્કા ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોડું ધ્યાન રાખો. કારણ કે નકલી ચાંદીના સિક્કાનું બજાર વધી રહ્યું છે.
ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે નકલી સિક્કા
હિન્દુ ધર્મમાં દિવાળી અને ધનતેરસને લઈને બજારોમાં ભારે રોનક જોવા મળી રહી છે. આજકાલ નકલી અને ભેળસેળવાળા ચાંદીના સિક્કાનો વેપાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. આ સિક્કાઓમાં ચાંદીને બદલે, તેઓ 99 ટકા ગિલ્ટ અથવા જર્મન ચાંદીનું મિશ્રણ કરે છે. તેમના પર સિલ્વર કોટિંગ કરીને તેમને બજારમાં ઉતારવામાં આવે છે. તેમની શુદ્ધતા બતાવવા માટે તેઓ તમને નકલી સર્ટિફિકેટ સાથે તમને આપે છે.
આટલો થાય છે ખર્ચ
સૂત્રોના જણાવ્યા અનુસાર 1 કિલો નકલી સિક્કા બનાવવાની કિંમત 800-900 રૂપિયાની આસપાસ આવે છે. આ જ બજારમાં તે 55 હજારથી 57 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જર્મન ચાંદી બનાવવા માટે તાંબુ, નિકલ અને જસતનો ઉપયોગ થાય છે. તે બિલકુલ ચાંદી જેવું લાગે છે.
તમને જણાવી દઈએ કે આમ કરતા લોકો પાસે 65 ટકા, 70 ટકા અને 80 ટકા શુદ્ધતા વાળી ચાંદી માટે તમારી પાસે 100 ટકા વાળી વસુલી કરે છે. સાથે જ ઉપરથી મેકિંગ ચાર્જ અલગથી લગાવે છે.
આ રીતે ચેક કરો ચાંદીની શુદ્ધતા
ચાંદી ખરીદતી વખતે તેનું મેગ્નેટિક ટેસ્ટ કરી શકો છો.
જો ચાંદી ચુંબક તરફ આકર્ષાય છે તો તે નકલી ચાંદી છે.
બરફના ટુકડાથી પણ ચાંદીની ઓળખ થઈ શકે છે.
જ્યારે તમે બરફના ટુકડા પર અસલી ચાંદીનો સિક્કો મૂકો છો, ત્યારે બરફ ખૂબ જ ઝડપથી ઓગળવા લાગે છે.
પથ્થર પર ચાંદીનો સિક્કો ઘસવામાં આવે તો સફેદ લાઈન બને તો સમજવું કે ચાંદી અસલી છે.
જો લાઈનોનો રંગ પીળો હોય તો તેનો અર્થ એ છે કે ચાંદીમાં ભેળસેળ છે.