મહારાષ્ટ્રમાં શરદ પવારની પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના એક કાર્યકર્તાએ ભાજપના પ્રવક્તાને કાર્યાલયમાં ઘૂસીને લાફો મારી દીધો હતો.
મહારાષ્ટ્રમાં વિવાદ શરૂ
સોશિયલ મીડિયા પર પોસ્ટ લખવા બાબતે હોબાળો
NCPના કાર્યકર્તાઓ ભાજપના પ્રવક્તાને લાફો માર્યો
મહારાષ્ટ્રમાં શરદ પવારની પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના એક કાર્યકર્તાએ ભાજપના પ્રવક્તાને કાર્યાલયમાં ઘૂસીને લાફો મારી દીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભાજપની મહારાષ્ટ્ર કમિટિના નેતા વિનાયક અંબેકરે પુણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, એનસીપીના લગભગ 20 જેટલા કાર્યકર્તાઓએ તેમની ચેમ્બરમાં આવીને મારપીટ કરી છે. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે એનસીપી કાર્યકર્તાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.
महाराष्ट्र प्रदेश भारतीय जनता पार्टीचे प्रवक्ते प्रा. विनायक आंबेकर यांच्या वर राष्ट्रवादीच्या गुंडांनी भ्याड हल्ला केला असून, भाजपाच्या वतीने मी या हल्ल्याचा तीव्र शब्दांत निषेध व्यक्त करतो. राष्ट्रवादीच्या या गुंडांवर तात्काळ कारवाई झालीच पाहिजे !@BJP4Maharashtrapic.twitter.com/qR7lNc1IEN
ચંદ્રકાંત પાટિલે ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે, મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા વિનાયક આંબેકર પર એનસીપીના ગુંડાઓએ હુમલો કકર્યો છે અને ભાજપ આ ઘટનાની ટીકા કરે છે. આ એનસીપીના ગુંડાઓનું તાત્કાલિક નિવારણ લાવવું જોઈએ.
ભાજપના પ્રવક્તાએ કહી આ વાત
આપને જણાવી દઈએ કે, આ ઘટનાને લઈને વિનાયક આંબકરે કહ્યું કે, શુક્રવારના રોજ એક પોસ્ટ લખી હતી, જેને લઈને પાર્ટી સાંસદ ગિરીશ બાપટે તેમને માફી માગવા કહ્યું હતું. ભાજપ પ્રવક્તાએ કહ્યું કે, આજે મને કોઈએ ફોન કર્યો અને કહ્યું કે, તેમને ટેક્સના સંબંધમાં જાણકારી જોઈએ. આ વ્યક્તિ 20 લોકોને લઈને મારી ચેમ્બરમાં ઘૂસી આવ્યા અને મને લાફો માર્યો હતો. જે બાદ મારા ચશ્મા પણ તૂટી ગયા હતા. મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બાજૂ એનસીપીના એક કાર્યકર્તાએ વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં અંબેકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, તેમણે શરદ પવાર વિરુદ્ધ પોસ્ટ લખવાનો આરોપ લગાવ્યો છે.