અત્યાર સુધી હત્યા, અકસ્માત કે, દુર્ઘટનાના કિસ્સાઓમાં મોત થતા આપણે જોયા છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં આત્મહત્યાના કિસ્સામાં ખુબ વધારો થયો છે. જે આપણા ગુજરાત માટે ચિંતાજનક છે. ત્યારે શું છે આત્મહત્યા અને અપમૃત્યુ પર સરકારનો રિપોર્ટ અને કેવી રીતે લોકોને આ સામાજિક ચિંતાથી બચાવી શકાય જુઓ આ અહેવાલમાં.
ગુજરાતમાં વધતું જઇ રહેલું આત્મહત્યાનું પ્રમાણ હવે એક ચિંતાનો વિષય બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. જો છેલ્લા બે વર્ષની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સરેરાશ દરરોજ 55 લોકો અપમૃત્યુ કે આત્મહત્યાનો ભોગ બની રહ્યાં છે.
સમય અને ટેકનોલોજી બદલાતા હવે લોકોની માનસિક સ્થિતિ પણ નબળી પડી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ગુજરાતમાં દિવસેને દિવસે આત્મહત્યા કરનારા લોકોનું પ્રમાણ વધી રહ્યું છે. જે ખુબ જ ચિંતાજનક વિષય બની ગયો છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો રોજ સરેરાજ 55 લોકો આત્મહત્યા કે અપમૃત્યુથી મૃત્યુ પામી રહ્યાં છે. જો મોટા શહેરમાં અપમૃત્યુ અને આત્મહત્યાથી મૃત્યુ પામેલ સંખ્યા પર નજર કરીએ તો...
અમદાવાદ - 4332
વડોદરા - 1554
સુરત - 4047
રાજકોટ - 5140
જામનગર - 1763
જો મનોચિકિત્સકનું માનીએ તો આત્મહત્યા કરનારા લોકોની ઉંમર 18 વર્ષથી લઇને 30 વર્ષના યુવાનોની હોય છે. જે લોકો મોટાભાગે કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવાને માનસિક રીતે હારી જતા હોય છે અને અંતે આત્મહત્યાનો માર્ગ અપનાવતા હોય છે.
જે લોકો મોટાભાગે ભણતરના ડરથી કે પ્રેમમાં નિષ્ફળતાને કારણે આત્મહત્યા કરતા હોય છે. જો કે પોલીસ ચોપડે નોંધાયેલા આ કેસમાં છેલ્લા કેટલાક સમયમાં પોલીસ કર્મચારીઓ પણ આત્મહત્યા કરવા તરફ પ્રેરાયા છે. જે પણ પોલીસ વિભાગ માટે એક ચિંતાનો વિષય બન્યો છે.
છેલ્લા બે વર્ષમાં નોંધાયેલા આ કેસ ન માત્ર સરકાર પરંતુ તમામ લોકો માટે એક ચિંતાજનક વિષય બની ગયો છે. ત્યારે લોકોએ પણ હવે આત્મહત્યાનો માર્ગ અપનાવવાને બદલે બે ઘડીકનો વિચાર કરીને પરિસ્થિતિનો સામનો કરવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે અથવા તો તેમની સમસ્યા કે માનસિક તણાવને દુર કરવા માટે મનોચિકિત્સકની મદદ લેવી જોઇએ.