UIDAIના આદેશનું પાલન કરતાં Reliance Jio Vodafone Idea Airtel એ આધાર કાર્ડ પર આધારિત ચકાસણી પ્રક્રિયા બંધ કરવાનો પ્લાન જણાવ્યો છે. જો કે ત્રણ મોટી કંપનીઓએ UIDAIની સામે આધાર આધારિત પ્રકિયા બંધ કરવાથી થતા નુકસાનનો મુદ્દો પણ ઊઠાવ્યો. કંપનીઓએ કહ્યું કે એ એ ગ્રાહક ચકાસણીની નવી પ્રક્રિયા બનાવવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમની સાથે મળીને કામ કરી રહ્યા છે. પરંતુ અચાનક આધાર પર આધારિત e-KYC પ્રક્રિયાને બંધ કરવાનથી થતા ખર્ચો વધવાની શક્યતા છે.
એક કંપનીએ UIDAIને લખ્યું કે સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ જો આધાર પર આધારિત ચકાસણી પ્રક્રિયાને પૂરી રીતે ખતમ કરવામાં આવે છે તો e-KYC પ્રક્રિયાને લાગૂ કરવામાં થયેલા અત્યાર સુધીના બધા રૂપિયા ખરાબ થઇ જશે. ઓપરેટર્સે પોતાના પત્રમાં એવું પણ જણાવ્યું કે આધાર આધારિત ચકાસણી પ્રક્રિયા ગામ અને નાના વિસ્તારમાં સારી રીતે કામ કરી રહી હતી પરંતુ હવે કંપનીઓને ટેલિકોમ ડિપાર્ટમેન્ટની સાથે મળીને કોઇ નવો પ્લાન બનાવવો પડશે. એના માટે કંપનીઓએ પોતાના કર્મચારીઓને પણ ટ્રેનિંગ આપવી પડશે જેમાં ઘણો સમય લાગી શકે છે.
UIDAI એ કંપનીઓને કહ્યું કે ઓપરેટર્સને દરેક ગ્રાહકનો આધાર ડીલિંકનો અનુરોધ 6 મહિનાની અંદર સ્વીકાર કરવો પડશે અને ફરીથી DOT ના નિયમો અનુસાર વેરિફિકેશન કરવું પડશે. સાથે જ આગળ કહ્યું કે કંપનીઓમે પોતાના ગ્રાહકોના ડીલિંક કરાવવાની રીત પણ જણાવવી પડશે. જણાવી દઇએ કે આધાર પર આધારિત ચકાસણી પ્રક્રિયા શરૂ થયા બાદથી કંપનીઓએ 90% ગ્રાહક આ પ્રક્રિયાથી જોડાયેલા છે.