આ મહિને અનેક ગ્રહોએ પોતાની રાશિ બદલી છે. બુધ, ગુરુ અને રાહુ-કેતુ બાદ હવે શનિ પોતાની ચાલ બદલી રહ્યો છે. 29 સપ્ટેમ્બરે એટલે કે આવતી કાલે શનિ માર્ગી થવા જઈ રહ્યો છે. શનિની આ સીધી ચાલ અનેક રાશિ માટે સકારાત્મક રહેશે તો આ 2 રાશિ કન્યા અને તુલા માટે નકારાત્મક પરિણામ આપશે.
શનિ બદલશે પોતાની ચાલ
આવતીકાલે માર્ગી થશે શનિ
શનિની આ ચાલ 2 રાશિને કરશે નકારાત્મક અસર
જ્યોતિષાચાર્યનું માનવું છે કે શનિનું માર્ગી કે વક્રી થવું એ મહત્વનું માનવામાં આવે છે. શનિની સીધી ચાલ મોટાભાગે શુભ પરિણામ આપે છે. કન્યા અને તુલા આ 2 રાશિ સિવાય દરેક રાશિ માટે આ શનિનું માર્ગી થવું એ શુભ પરિણામ આપશે.
કન્યા
આ રાશિના લોકોએ શનિની માર્ગી ચાલમાં કોઈ પણ રોગ કે બીમારીના કારણે મુશ્કેલીમાં મૂકાવવાનો વારો આવશે. આ સમયે લોકોનો સહયોગ મળી રહેશે. શનિની માર્ગી ચાલથી કન્યા રાશિના જીવનમાં સુખ સુવિધાઓમાં વધારો થશે. કોઈ પણ પ્રકારની બેદરકારી ન દાખવો તે તમારા માટે ઈચ્છનીય રહેશે.
તુલા
આ સમયે તુલા રાશિ પર શનિની ઢૈય્યા ચાલી રહી છે. આ સમયે આ રાશિને અકારણ ખર્ચમાં વધારો થઈ શકે છે. અનેક ઘરેલૂ સમસ્યાઓ પણ આવી શકે છે. આ સમયે સાવધાન રહેવાની જરૂર છે. દામ્પત્ય જીવનમાં પણ ખટાશ અને ઉંચનીચની સંભાવના છે. આ સમયે તકેદારી અને શાંતિથી કામ કરો તે મહત્વનું છે.