હ્યુસ્ટનમાં Howdy Modiને સંબોધિત કર્યા બાદ પીએમ મોદી ન્યૂયોર્ક પહોંચી ચૂક્યા છે. અહીં તેઓ જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ શિખર સંમેલનમાં ભાગ લેશે અને સમિટને સંબોધિત કરશે. અહીં તેઓ આતંકવાદના મુદ્દા પર અનેક દેશના નેતાઓ સાથે વાત કરશે. ત્યારબાદ તેઓ અમેરિકી કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે.
હ્યુસ્ટનમાં હાઉડી મોદીને સંબોધિત કર્યા બાદ પીએમ મોદી ન્યૂયોર્ક માટે થયા રવાના
જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના શિખર સંમેલનમાં લેશે ભાગ
ક્લાયમેટ ચેન્જ સમિટને કરશે સંબોધિત
આતંકવાદના મામલે અનેક દેશના નેતાઓને મળશે
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 21થી 27 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે. આ સમયે પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સાથે બેઠક કરશે અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સંમેલનને પણ સંબોધિત કરશે.
USA: Prime Minister Narendra Modi arrives in #NewYork. On 23rd September, he will take part in the UNSG's Summit on Climate Change and Leaders' Dialogue on 'Strategic Responses to Terrorist and Violent Extremist Narratives'. pic.twitter.com/ty0Q3AkaPa
23 સપ્ટેમ્બર
પીએમ મોદી ક્લાઈમેટ સમિટને સંબોધિત કરશે, તેઓ આતંકવાદના મુદ્દા પર અનેક દેશોના નેતાઓને મળશે. ત્યારબાદ તેઓ અમેરિકી કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે.
24 સપ્ટેમ્બર
યૂએનએસજીની તરફથી લંચમાં ભાગ લેશે. આ પછી તેઓ મહાત્મા ગાંધીની 150મી વર્ષગાંઠને લઈને આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદીને ગેટ્સ ફાઉન્ડેશનની તરફથી ગ્લોબલ ગોલ કીપર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સાથે પીએમ મોદી બ્લૂમબર્ગના સીઈઓ સાથે મુલાકાત પણ કરશે.
25 સપ્ટેમ્બર
પીએમ મોદી કૈરિકોમની બેઠકમાં ભાગ લેશે. જ્યાં ડોનાલ્ડ ટ્રંપ સહિત 20 નેતાઓની મુલાકાત કરશે. અહીં કેટલીક ખાસ વાતચીતની શક્યતા રાખવામાં આવી રહી છે.