ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન તેની ચરમસીમાએ પહોંચ્યો છે. જ્યાં એક બાજૂ રાજકીય પાર્ટીઓ એક બીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે, તો વળી બીજી બાજૂ ઉમેદવારો અને નેતાઓ મતદારોને લલચાવવા માટે નવી નવી ઓફરો આપી રહ્યા છે.
યુપીમાં ચૂંટણી પ્રચાર તેની ચરમ પર છે
નેતાએ મતદારોને રિઝવવા માટે આપી રહ્યા છે મોટી મોટી લ્હાણી
ઓમપ્રકાશ રાજભરે પણ આપી મોટી ઓફર
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન તેની ચરમસીમાએ પહોંચ્યો છે. જ્યાં એક બાજૂ રાજકીય પાર્ટીઓ એક બીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે, તો વળી બીજી બાજૂ ઉમેદવારો અને નેતાઓ મતદારોને લલચાવવા માટે નવી નવી ઓફરો આપી રહ્યા છે. આ દરમિયાન ક્યારે એવા પણ વચનો આપવામાં આવે છે, જેની પાછળ કોઈ જાતનું તર્ક હોતો નથી. કંઈક આવો જ વાયદો સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે જનતા પાસે કર્યો છે.
હાલમાં 3 લોકો બેસવા પર પોલીસ ફટકારે છે દંડ
પોતાના નિવેદનમાં ઓમપ્રકાશ રાજભરે કહ્યું કે, તેમની સરકાર બનશે તો એક બાઈક પર 3 લોકો આરામથી સફર કરી શકશે અને પોલીસ તેમને દંડ પણ નહીં ફટકારી શકે. તેમણે કહ્યું કે, મોટર સાઈકલ પર 2 સવારી જવાનું તો કાયદેસર છે, પણ ભૂલ તો જો 3 સવારી બેઠા તો, પોલીસ દંડ ફટકારે છે. તેમણે કહ્યું કે, અમારી સરકાર બનશે, તો બાઈક પર 3 સવારી બેસી શકશે અને કોઈ દંડ પણ નહીં થાય.
ટ્રેનને દંડ નથી લાગતો
રાજભરે કહ્યું કે, ટ્રેનના એક ડબ્બામાં 70 સીટો હોય છે, અને 300 લોકો બેસાડવામાં આવે છે. ત્યારે કેમ ટ્રેન પર દંડ ફટકારવામાં આવતો નથી. તો વળી જીપ 9 સવારી માટે પાસ હોય છે, અને 22 લોકો બેસાડવામા આવે છે. તેના પર પણ દંડ થતો નથી.
રાજભરની પાર્ટીએ સપા સાથે કર્યું છે ગઠબંધન
મુખ્તાર અંસારીને પોતાની પાર્ટીમાં ચૂંટણી મેદાનમાં ઉતારવાની વાત પર રાજભરે કહ્યું કે, જ્યાં સુધી કોર્ટ કોઈને દોષિત ન ઠેરવે ત્યાં સુધી તે નિર્દોષ હોય છે. આપને જણાવી દઈએ કે, આ વખતે યુપી ચૂંટણીમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી રહ્યા છે.