ઓમપ્રકાશ રાજભરે સપા સાથે થઈ રહેલા ખટરાગ અને સીએમ યોગી આદિત્યનાથની મુલાકાતને લઈને આરોપનો જવાબ આપતા અખિલેશ યાદવ પર બરાબરના પ્રહારો કર્યા હતા.
યુપીના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ ખેલાયું
એક જ ગઠબંધનમાં રહેલા બે નેતાઓમાં ખટરાગ
ઓમપ્રકાશ રાજભરે અખિલેશ યાદવ પર પ્રહાર કર્યા
સુભાસપાના ચીફ ઓમપ્રકાશ રાજભરે સપા સાથે થઈ રહેલા ખટરાગ અને સીએમ યોગી આદિત્યનાથની મુલાકાતને લઈને આરોપનો જવાબ આપતા અખિલેશ યાદવ પર બરાબરના પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે, સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ પીએમ મોદી અને સીએમ યોગીને મળે, તેમને ફુલનું બુકે આપે તો ઠીક છે, અને અમે મળીએ તો ખોટું. તેઓ મળે તો વાહ વાહ, અમે મળીએ તો કેરેક્ટર ઢીલા. આ બધુ નહીં ચાલે. તેમણે કહ્યું કે, અખિલેશ યાદવ ખુદ સીએમ યોગીને મળી રહે છે.
તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સપાએ ન તો અમારો વોટ માગ્યો અને અમને બોલાવ્યા પણ નહીં. અમને જ્યાં પણ બોલાવ્યા અને જેમણે વોટ માગ્યો તેમને આપ્યો. સુભાસપાનું ગઠબંધન સપા સાથે ચાલે છે. અખિલેશ યાદવ જ્યાં સુધી અમને નહીં કહે કે, તમે તમારુ જોઈ લો, ત્યાં સુધી અમારુ ગઠબંધન સપા સાથે ચાલતું રહેશે. રાજભરે કહ્યું કે, અખિલેશ યાદવ જો ગઠબંધનમાંથી કાઢવા માગે છે તો આ વખતે બસપા સાથે ગઠબંધનનો પ્રયાસ કરીશું, અમે માયાવતીજી સાથે વાત કરીશું.
મુખ્તારના દિકરાની મદદ માટે તૈયાર
ઓમપ્રકાશ રાજભરે કહ્યું કે, મુખ્તાર અંસારીના દિકરા અને ધારાસભ્ય અબ્બાસ અંસારીના મુદ્દા પર સીએમ અને એસીએસ હોમ સાથે વાત ચાલી રહી છે. તેમણે કહ્યું કે, અમે અમારા ધારાસભ્યોની મદદ કરી રહ્યા છીએ. ગૃહમંત્રી સાથે પણ અબ્બાસ માટે વાત કરી છે.