ગુજરાતમાં કોરોના સંકમણની સાથોસાથ ઓમિક્રોન પણ વધી રહ્યો છે. રાજ્યમાં ગુજરાતના ઓમિક્રોન વેરિયન્ટના 23 નવા કેસ સાથે જ અત્યાર સુધીમાં 136 કેસ નોંધાઇ ચૂક્યા છે
અમદાવાદમાં ઓમિક્રોનની 'ફિફ્ટી'
ગુજરાતમાં કુલ કેસનો આંકડો 136
કોરોના સાથે ઓમિક્રોને વધાર્યું સંકટ
ગુજરાતમાં કોરોના સંકમણની સાથોસાથ ઓમિક્રોન પણ વધી રહ્યો છે. રાજ્યમાં ગુજરાતના ઓમિક્રોન વેરિયન્ટના 23 નવા કેસ સાથે જ અત્યાર સુધીમાં 136 કેસ નોંધાઇ ચૂક્યા છે, જેમાં 65 દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે. તો રાજ્યમાં ઓમિક્રોનને લઇને અત્યાર સુધીમાં એકપણ દર્દીનું મૃત્યુ નથી થયું.
ગુજરાતમાં આજે અમદાવાદ શહેરમાં 11 નવા કેસ સાથે કુલ કેસનો આંક 50 પર પહોચ્યો છે, સુરત શહેરમાં નવા 4 કેસ સાથે કુલ આંક 16 , તો વડોદરામાં નવા 2 કેસ સાથે કુલ આંકડો 23 પર પહોચ્યો છે નવા કેસમાં આણંદમાં 2,કચ્છમાં 2, ખેડામાં 1 અને રાજકોટમાં 1 ઓમિક્રોન કેસ નોંધાયો છે.
ઓમિક્રોનથી બચવાના કારગર ઉપાય
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસોએ ગતિ પકડી છે. છેલ્લા 24 કલાકમાં 16,764 કોરોનાના કેસ નોંધાવાની સાથે હવે કુલ એક્ટિવ કેસ 91,361 થઈ ગયા છે. એઇમ્સ ના પ્રમુખ રણદીપ ગુલેરીયાએ જાણકારી આપી હતી કે ઓમિક્રૉન કઈ રીતે અને કયા કયા લોકોને અસર કરી શકે છે. તેના લક્ષણો કયા કયા હોય છે અને સાથે જો ઓમિક્રૉન વાયરસનો હુમલો થાય તો શરીરને તેની સામે કેવી રીતે બચાવી શકાય.
શરીરને કઈ રીતે કરે છે અટેક
AIIMS ના ચીફ Randip Guleria એ કહ્યું હતું કે ઓમિક્રૉન સંક્રમણ મુખ્યત્વે શરીરના અપર રેસપાયરેટરી પાથ એટલે કે શ્વસન માર્ગ અને વાયુમાર્ગને પ્રભાવિત કરે છે. જે ફેફસાને અસર નથી કરતાં. આ કારણથી તે એકથી બીજા સુધી શ્વસન માધ્યમથી ઝડપથી પહોંચે છે.
લક્ષણ
Randip Guleria એ કહ્યું હતું કે ફેફસા સિવાય અપર રેસપાયરેટરી અને શ્વાસનળીને અસર કરે છે. આ કારણે તેમાં ડેલ્ટા વેરિયન્ટ જેવા ગંભીર લક્ષણો નથી આવી રહ્યા. આનાથી સંક્રમિત રોગીઓમ ઑક્સીજનની વધારે કમી તો નથી. તેના જે લક્ષણ સામે આવી રહ્યા છે તેમાં તાવ, નાકમાંથી પાણી આવવું, ગળામાં ખરાશ, શરીરમાં બેચેની અને માથાનો દુખાવો મુખ્ય છે. તેમણે કહ્યું હતું કે જો કોઇની અંદર આ લક્ષણ દેખાય તો તેની તરત તપાસ કરાવવી જોઈએ.
જો સંક્રમિત થઈ જાવ તો શું કરશો?
ગુલેરીયાએ કહ્યું હતું કે જો તમને ઓમિક્રૉન વાયરસથી સંક્રમણની જાણકારી મળે તો ટેન્શન લેવાની જરૂર નથી. એ સમજવું વધારે જરૂરી છે કે ગયા વખત કરતાં અલગ એવો આ વેરિયન્ટ ઑક્સીજન સેચ્યુરેશનમાં ઘટાડો નથી કરતો. માટે જો નોર્મલ વાયરસથી સંક્રમણ થયું હોય તો તમે હોમ આઇસોલેશન પર રહી શકો છો. ગુલેરીયાએ કહ્યું હતું કે હોસ્પિટલના બેડ તેવા લોકો માટે મફત કરવામાં આવવા જોઈએ જે ગંભીર બીમારીની ઝપેટમાં આવી ગયા છે.
આ વખતે રિકવરી રેટ પણ ઝડપથી વધી રહ્યો છે.