દેશમાં ઓમિક્રૉનના વધી રહેલા કેસના પગલે હવે ત્રીજી લહેર નજીકમાં હોવાનું ઘણા નિષ્ણાંતો કહી ચૂક્યા છે. ત્યારે એક કોવિડ કમિટી દ્વારા એક અંદાજ લગાવવામાં આવ્યો હતો.
દેશમાં હવે ઓમિક્રૉનના કેસ 400 થી વધારે
જાન્યુઆરીમાં ત્રીજી લહેર થઈ શકે છે શરૂ
વેક્સિનેટેડ લોકોને પણ થઈ રહ્યો છે કોવિડ
દેશમાં ઓમિક્રોનનાં 415 કેસ આવી ચૂક્યા છે. એક બાદ એક રાજ્યમાં પ્રતિબંધો લાગી રહ્યા છે. એવામાં આજે એક જ દિવસમાં ઓમિક્રૉનનાં કેસમક 16 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગઇકાલે દેશમાં ઓમિક્રૉનનાં કેસ 358 હતા જે આજે વધીને 415 થઈ ગયા છે જેમાંથી 115 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.
ત્રીજી લહેર થઈ શકે છે શરૂ
હવે ઓમિક્રૉનને લઈને કેરળમાં કોવિડ-19 સંક્રમણને લઈને બનેલી એક ટીમના ડોક્ટરે કહ્યું હતું કે ઓમિક્રૉન વેરિયન્ટના વધતાં સંક્રમણને અટકાવી શકાય નહીં. આ કમિટીના ડૉક્ટર અનિસે કહ્યું હતુ કે એક સ્ટડી અનુસાર કોરોનાની ત્રીજી લહેર જાન્યુઆરીમાં શરૂ થઈ શકે છે. અને ઓમિક્રૉન વેરિયન્ટ આ લ્હેરનું મુખ્ય કારણ હોય શકે છે. જો કે તેમણે કહ્યું હતું કે તેઓને આશા છે કે તેઓની પાસે આ વખતે ગંભીર રીતે બીમાર લોકોની સંખ્યા બીજી લહેર કરતાં ઘણી ઓછી આવશે. કારણ કે આ વખતે એટલા ગંભીર લક્ષણો નથી જોવા મળી રહ્યા અને વેકસીનેટેડ લોકો આવી રહ્યા છે.
2 મહિનામાં 10 લાખ કેસ
તેમણે કહ્યું હતું કે આપણે આ વખતે અગાઉથી જ તૈયાર રહેવાની જરૂર છે. ડૉક્ટર અનિસે કહ્યું હતું કે ગ્લોબલ ટ્રેન્ડ પરથી જાણવા મળે છે કે આવતા 2-3 અઠવાડિયાઓમ કોરોનાનો ઓમિક્રૉન વેરિયન્ટ અને તેના કારણે સંક્રમીતોનો આંકડો 1000 સુધી પહોંચી ગયો હશે. અને સંભવતઃ આવતા 2 મહિનાની અંદર અંદર સંક્રમીતોની સંખ્યા દસ લાખ સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું હતું કે આપણે કોરોનાની ત્રીજી લહેરને રોકવાની જરૂર છે અને એના માટે 1 મહિનાથી વધારે સમય નહીં મળે.
કોવિડના પ્રોટોકોલ ફોલો કરવા પડશે
કમિટીએ ચેતવણી આપી હતી કે ભારતમાં સંક્રમણને ફેલાતું અટકાવવું પડશે અને તેના માટે કોવિડ પ્રોટોકૉલ્સ ફોલો કરવા સિવાય કોઈ છૂટકો નથી. કારણ કે વેક્સિનની ઓમિક્રૉન પર અસર અંગે પણ સ્પષ્ટ માહિતી હજુ મળી નથી રહી. ચિંતાની વાત એ છે કે 10 સંક્રમિતમાંથી 9 એવા હોય છે કે જેને વેક્સિનનો એક કે બંને ડોઝ લાગી ચૂક્યો હોય.
183 ઓમિક્રૉન દર્દીઓને લઈને કરવામાં આવેલ એક વિશ્લેષણમાં આ ખુલાસો થયો હતો. શુક્રવારે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આ મહામારીને રોકવા મારે વેક્સિન એકલી પર્યાપ્ત નથી પરંતુ સાથે લોકોએ પણ તેને ગંભીરતાથી લેવા સાથે સતર્ક થઈ જવું પડશે અને તેનાથી બચવા માટે આ સતર્ક રહેવું પણ એટલું જ જરૂરી બનવાનું છે.
91% કેસમાં દર્દીઓ વેક્સિનનાં બંને ડોઝ લઈ ચૂક્યા હતા. આ સિવાય 87 દર્દીઓમાં ત્રણ ને તો બુસ્ટર ડોઝ પણ લાગી ચૂક્યો છે. 183 લોકોમાંથી સાત એવા હતા કે જેમને કોઈ વેક્સિનનો એકે ડોઝ લાગ્યો જ નથી. બે ને વેક્સિનનો એક એક ડોઝ લાગ્યો હતો. કેન્દ્ર સરકાર અનુસાર 73 લોકોને વેક્સિન કોઈક રીતે નથી લાગી જેનું કારણ જાણવા મળ્યું નથી. ઘણાબધાની ઉંમર 16 થી 18 વર્ષ હતી