વિશ્વભરમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. નવા વેરિએન્ટ ઓમક્રોનની પણ વધુ અસર જોવા મળતી નથી. એવામાં દેશ સહિત વિશ્વના અન્ય દેશ કોરોનાને લઇને લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં ધીરે-ધીરે છૂટછાટ આપી રહ્યાં છે. આ દરમ્યાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક શીર્ષ અધિકારીએ કહ્યું છે કે કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિએન્ટ અંતિમ સ્વરૂપ આપશે નહીં.
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની પણ અસર જોવા મળતી નથી
વિશ્વના અન્ય દેશોમાં પણ પ્રતિબંધોમાં અપાઈ રહી છે છૂટછાટ
કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિએન્ટ અંતિમ વેરિએન્ટ નથી
ઓમિક્રોન વેરિએન્ટ છે વાઈલ્ડ કાર્ડ
કોરોનાના અન્ય નવા વેરિએન્ટ સામે આવવાની વધુ આશંકા છે. WHO સત્તાવાર સોશિયલ મીડિયા મંચ પર આયોજીત સવાલ-જવાબના એક સત્ર દરમ્યાન સંગઠનના કોવિડ-19 ટેકનિકલ ટીમની મારિયા વાન કેરખોવે કહ્યું છે કે વૈશ્વિક સ્વાસ્થ્ય એજન્સી ઓમિક્રોનના ચાર અલગ-અલગ વેરિએન્ટ પર નજર છે. મારિયાએ કહ્યું કે અમે આ વાયરસ અંગે હવે ઘણુ જાણીએ છીએ. પરંતુ બધુ જાણતા નથી. હું સ્પષ્ટ રીતે કહુ તો વાયરસના આ વેરિએન્ટ વાઈલ્ડ કાર્ડ છે.
વાયરસ બદલે છે નવુ સ્વરૂપ
તેમણે કહ્યું કે એવામાં આ વાયરસ પર અમે બારીકાઈથી નજર રાખીએ છીએ. જે રીતે તેમાં ફેરફાર થાય છે અને જે રીતે આ રૂપ બદલે છે. જો કે, આ વાયરસમાં ફેરફારની વધુ આશંકા છે. તેમણે કહ્યું કે ઓમિક્રોન સૌથી વધુ ચિંતાજનક સ્વરૂપ છે. આ અંતિમ ચિંતાજનક વેરિએન્ટ પણ નહીં હોય. એવામાં આપણે ફરી એક વખત વેક્સિનેશનનો દાયરો તો વધારવો પડ઼શે. પરંતુ સંક્રમણના પ્રસારના ઉપાયોનું પાલન પણ નક્કી કરવુ પડશે.
દેશમાં આવ્યાં 71 હજારથી વધુ નવા કેસ
તો દેશમાં સામે આવી રહેલા કોરોનાના કેસોની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના એક લાખ 71 હજાર 365 નવા કેસ સામે આવ્યાં છે.