આરોગ્ય નિષ્ણાતોએ મંગળવારે કહ્યું કે ભારતમાં ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં ઓમિક્રોનના કેસ પીક પર પહોંચશે અને તેની સાથે જ ત્રીજી લહેરનો અંત થવાની શક્યતા છે.
મહારાષ્ટ્ર સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશીએ દાવો કર્યો
દેશમાં એક્ટિવ કેસ વધીને ૧૮ લાખને પાર
પોઝિટિવિટી રેટ ઊછળીને ૧૫.૧૩ ટકા
કોવિડ-૧૯ મહારાષ્ટ્ર સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશીએ જણાવ્યું કે મુંબઈ અને દિલ્હી બંને શહેરોમાં ઓમિક્રોનનું સંક્રમણ દક્ષિણ આફ્રકિી પેટર્ન પર ફેલાતું જોવા મળ્યું છે. તેમણે કહ્યું કે આ ખૂબ તેજીથી આવેલી વિસ્ફોટક લહેર છે અને આશા છે કે જેટલી ઝડપથી આવી છે એટલી જ ઝડપથી જશે. ઓમિક્રોનના કેસમાં મુંબઈ પહેલા જ શિખર પાર કરી ચૂક્યું છે. તેનું સંક્રમણ સમગ્ર મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ સુધીમાં પીક પર પહોંચી જશે. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એન્ડોક્રિનોલોજિસ્ટ જોશીએ કહ્યું કે ભારતના મોટાભાગના હિસ્સાઓમાં ઓમિક્રોનના કેસ એકથી ૧૫ ફેબ્રુઆરી વચ્ચે ચરમ પર પહોંચી શકે છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ અને ઇન્ડ્યિન સ્ટેટેસ્ટીકલ ઇન્સ્ટિટ્યુટના રિસર્ચર્સે હાલના અનુમાનોમાં દાવો કર્યો છે કે દેશમાં જાન્યુઆરીના અંતમાં અથવા તો ફેબ્રુઆરીના શરૂઆતમાં એક દિવસમાં ૧૦ લાખથી વધુ કોવિડ કેસ જોવા મળી શકે છે. તે સમયે ત્રીજી લહેર તેના પીક પર પહોંચવા લાગશે.
દેશમાં ફરી કોરોના બોમ્બ ફૂટ્યોઃ ૧૮ ટકાના ઉછાળા સાથે ૨.૮૨ લાખ નવા કેસ
દેશમાં કોરોના વાઈરસના નવા ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનના પગલે કોરોના સંક્રમણના કેસ ભયાનક ઝડપે વધતા જાણે ફરી કોરોનાનો બોમ્બ ફૂટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આજે સવારે જારી કરવામાં આવેલા સત્તાવાર રિપોર્ટ અનુસાર, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૮૨,૯૭૦ નવા કેસ સામે આવ્યા છે અને ૪૪૧ સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે. ચિંતાજનક વાત એ છે કે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧,૮૮,૧૫૭ દર્દીઓ કોરોના સંક્રમણ મુક્ત થતા એક જ દિવસમાં ૯૪,૮૧૩ એક્ટિવ કેસ વધી ગયા છે. આમ ગઈકાલની તુલનાએ કોરોનાના નવા દૈનકિ કેસમાં ૧૮ ટકાનો ઊછાળો આવ્યો છે એટલે કે એક જ દિવસમાં ૪૪,૯૫૨ કેસ વધ્યા છે.
આ સાથે દેશમાં હવે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૩,૭૯,૦૧,૨૪૧ થઈ છે અને તેની સામે અત્યાર સુધીમાં કુલ ૩,૫૫,૮૩,૦૩૯ સંક્રમિતોએ કોરોનાને માત આપતાં હવે દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા વધીને ૧૮,૩૧,૦૦૦ પર પહોંચી છે, જે કુલ કેસના ૪.૮૩ ટકા છે. જ્યારે દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા વધીને ૪,૮૭,૨૦૨ થઈ છે.
રકિવરી રેટ ઘટ્યો, પોઝિટિવિટી રેટ વધ્યો
દરમિયાન, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વેક્સિનના ૭૬,૩૫,૨૨૯ ડોઝ આપવામાં આવ્યા હતા અને આ સાથે કુલ વેક્સિનેશનની સંખ્યા ૧,૫૮,૮૮,૪૭,૫૫૪ થઈ છે. આઈસીએમઆરના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના માટે ૧૮,૬૯,૬૪૨ સેમ્પલના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા અને આ સાથે હવે દેશમાં કુલ ૭૦,૭૪,૨૧,૬૫૦ સેમ્પલના ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે.સૌથી ચિંતાજનક વાત એ છે કે ડેઈલી પોઝિટિવિટી રેટ ૧૪.૪૩ ટકાથી વધીને ૧૫.૧૩ ટકા થઈ ગયો છે, જ્યારે રકિવરી રેટ ઘટીને ૯૩.૮૮ ટકા થયો છે. વીકલી પોઝિટિવિટી રેટ પણ વધીને ૧૫.૫૩ ટકા થયો છે.
આ દરમિયાન દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ કેસ વધીને ૮,૯૬૧ થયા છે, જે ૦.૭૯ ટકાનો વધારો સૂચવે છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસમાં ૨૬ ટકાનો વધારો થયો છે અને ૩૯,૨૦૭ નવા કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં કોરોનાના કારણે રાજ્યમાં ૫૩ લોકોએ જીવ ગુમાવ્યા છે, જે ત્રીજી લહેરમાં એક જ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ મોત છે.
કર્ણાટકમાંથી ડરામણા સમાચાર
કર્ણાટકમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૧,૪૫૭ નવા કેસ સામે આવ્યા છે અને ૨૦ લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ હવે ૨૨ ટકાને વટાવી ગયો છે. કર્ણાટકમાં કોરોનાના નવા દૈનકિ કેસમાં ૫૨.૬૬ ટકાનો ભયાનક ઉછાળો આવ્યો છે. કેરળમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ચિંતાજનક વાત એ છે કે કેરળમાં પોઝિટિવિટી રેટ વધીને ૩૫.૨૭ ટકા થઈ ગયો છે. કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૮,૪૮૧ નવા કેસ સામે આવ્યા છે અને ૩૯ લોકોનાં મોત થયાં છે.