કોરોના વાયરસનાં નવા ઓમિક્રૉન વેરિયન્ટને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ મોટું નિવેદન આપ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાનું મોટું નિવેદન
દેશમાં ઓમિક્રોન વેરિયન્ટનો એક પણ કેસ નહીં
આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે દિશા નિર્દેશ જાહેર
સ્વાસ્થ્ય મંત્રીનું મોટું નિવેદન
કોરોના વાયરસનાં નવા ઓમિક્રૉન વેરિયન્ટને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ મોટું નિવેદન આપ્યું છે. સંસદનાં શિયાળુ સત્રમાં સ્વાસ્થ્યમંત્રીએ એલાન કર્યું છે કે હાલમાં દેશમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટનો એક પણ કેસ સામે આવ્યો નથી. તેમણે કહ્યું કે ઓમિક્રૉનને લઈને નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
ભારતમા એક પણ કેસ નહીં
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં કહ્યું કે કોરોના વાયરસનો નવો વેરિયન્ટ દુનિયભરનાં 14 દેશોમાં ફેલાયો છે પરંતુ ભારતમા હજુ સુધી એક પણ કેસ સામે આવ્યો નથી. જૉ કોઈ એવો સંદેશ પ્રાપ્ત થાય કે કોઈ વ્યક્તિમાં ખતરો છે તો તેની તરત જ તપાસ કરવામાં આવશે અને હાલમાં જીનોમ સિક્વેન્સીંગ પણ કરવામાં આવી રહી છે.
WHO એ જાહેર કરી ચિંતા
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નવા વેરિયન્ટ ઓમિક્રૉનનાં ખતરાને ખૂબ જ ગંભીર શ્રેણીમાં રાખ્યું છે અને WHO એ કહ્યું છે કે આ સંક્રમણ હવે આખી દુનિયામાં ખૂબ જ તેજીથી ફેલાઈ શકે છે. આ સિવાય અનેક વિસ્તારોમાં આ નવા વેરિયન્ટથી તબાહી પણ આવી શકે છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં કુલ 14 દેશોમાં ઓમિક્રૉન વેરિયન્ટનાં કેસ સામે આવી ચૂક્યા છે, એવામાં ભારત આફ્રિકાના દેશોમાં વેક્સિન સહિતની મદદ કરવા માટે આગળ આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે દિશા નિર્દેશ
કોરોના વાયરસના નવા વેરિયન્ટ Omicron વેરિયન્ટે ચિંતા વધારી છે. કેન્દ્ર સરકાર હવે આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે દિશા નિર્દેશ કરી રહી છે. આ અંતર્ગત હવે યાત્રીઓએ એર સુવિધા પોર્ટલ પર જાતે જ જાણકારી આપવાની રહેશે. નવા દિશા નિર્દેશોમાં એટ રિસ્ક એટલે કે જોખમ ધરાવતા દેશોમાંથી આવતા યાત્રીઓએ રાહ જોઈને પોતાની અલગ વ્યવસ્થા તૈયાર કરવાની વાત કરવામાં આવી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોએ વિદેશથી આવતા યાત્રીઓ માટે નિયમો જાહેર કરી દીધા છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવેલ અડવાઇઝરી અનુસાર, બોર્ડિંગ પહેલા જ એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડિક્લેરેશન ફોરમ ભરવું પડશે. આ પોર્ટલ પર છેલ્લા 14 દિવસોમાં ભારત આવેલા આંતરરાષ્ટ્રીય યાત્રીઓની જાણકારી હોય છે. નવા દિશા નિર્દેશો અનુસાર એવું પણ જણાવવામાં આવ્યું છે કે એરલાઇન્સને ફ્લાઇટની પાસે 5 યાત્રીઓની તપાસ માટે યોગ્ય પ્રક્રિયા અને વ્યવસ્થા કરવાની રહેશે. એડવાઇઝરીમાં એમ જણાવાયું છે કે દરેક એરપોર્ટ પર 'એટ રિસ્ક' એવા દેશોથી આવતા યાત્રીઓ માટે યોગ્ય સુવિધાઓ સાથે અલગ હોલ્ડિંગ એરિયા કે જ્યાં RTPCR તપાસ થઈ શકે અને તેની રાહ જોઈ શકાય તેવો એરિયા બનાવવામાં આવે. આ કરવાથી નક્કી થઈ શકે કે ભીડથી બચીને કોઈ નિકળી ન જાય. સરકારે આ અંગે એરપોર્ટ પર વધારે સુવિધાઓ તૈયાર રાખવા માટે પણ જણાવ્યું છે. જેથી વધારે સંખ્યામાં RTPCR પણ થઈ શકે