ઓમિક્રોન વેરિયન્ટ દેશમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે દક્ષિણ આફ્રિકાના નિષ્ણાંતનું કહેવું છે કે, દેશમાં હોસ્પિટલની તૈયારી અને રસીકરણના ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે
નિષ્ણાંતોએ ભારતમાં ઓમિક્રોન ઝડપથી ફેલાશે તેવી ભવિષ્યવાણી કરી
ઓમિક્રોન વેરિયન્ટ ભારત, બ્રિટન સહિત ઘણાં દેશોમાં પહોંચી ચુક્યો છે
ભારતમાં હોસ્પિટલની તૈયારી અને રસીકરણના કાર્યક્રમો ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે
ઓમિક્રોન વેરિયન્ટ ભારત, બ્રિટન સહિત ઘણાં દેશોમાં પહોંચી ચુક્યો છે
દક્ષિણ આફ્રિકામાં ઉદ્દભવેલો કોરોનાનો નવો ઓમિક્રોન વેરિયન્ટ ભારત, બ્રિટન અને બ્રાઝીલ અને ચીન સહિત ઘણાં મોટા દેશોમાં પહોંચી ચુક્યો છે. ઓમિક્રોન 30થી વધુ મ્યુટેશન તેને ઝડપથી સંક્રમિત કરી રહ્યાં છે. નિષ્ણાતો તેને ભારત જેવા ગીચ વસ્તીવાળા દેશ માટે મોટો ખતરો માની રહ્યા છે.
ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાશે - નિષ્ણાંત
સાઉથ આફ્રિકાના DSI-NRF સેન્ટર ફોર એક્સીલન્સ ઈન એપિડેમાયોલોજિકલ મોડલિંગ એન્ડ એનાલીસીસના ડાયરેક્ટર જુલિયટ પુલિયમને ઓમિક્રોન વેરિયન્ટને ભારતમાં ખૂબ ઝડપથી ફેલાશે તેવો દાવો કરવામાં આવ્યો છે.પુલિયમે ચિંતા જાહેર કરતાં કહ્યું કે, ભારતમાં હોસ્પિટલના આયોજનની બાબતો માટે તૈયાર રહેવું એ એક સમજદારી ભર્યુ પગલું હશે .પુલિયમે જણાવ્યું કે, ઓમિક્રોન પહેલા સંક્રમિત થેયલા લોકોને પણ પોતાની ચપેટમાં લઈ રહ્યો છે. જેનું ટ્રાન્સમિશન રેટ પાછળના તમામ વેરિયન્ટથી બહુ જ ખરાબ છે. પ્રારંભીક આંક અનુસાર પૂરી રીતે વેક્સિનેશન કરાયેલા વ્યક્તિ પણ આ નવા વેરિયન્ટથી નહી બચી શકે
ઓમિક્રોનથી ભારતમાં કેટલો ખતરો ?
નિષ્ણાંતો કહ્યું કે, ઓમિક્રોન ઈન્ફેક્શનની જે હાલત દક્ષિણ આફ્રિકામાં દેખવા મળી રહ્યો છે. હવે દુનિયાભરના ધણાં દેશોમાં પણ દેખાવા લાગ્યા છે. ભારતમાં ડેલ્ટા વેરિયન્ટના કારણે આવી બીજી લહેરમાં હાલત બદતર દેખવા મળી હતી.,
શું ઓમિક્રોન ડેલ્ટાથી વધુ સંક્રમિત છે.
ઓમિક્રોન સબ લીનેઝ BA.1 વેરિયન્ટ દક્ષિણ આફિક્રકામાં ખૂબ હાવી છે. વાયરસના કોમ્યુનિટી ફેલાવવાની કારણે આવું થયું છે. શરૂઆતનો અભ્યાસ એ જણાવે છે કે, વાયરસ ઈમ્યુનિટી થી બચવાની ક્ષમતા અને હાયર ટ્રાન્સમિસિબિલિટી તેનું મુખ્ય પરિબળ છે
કેવી રીતે થશે ઓમિક્રોનથી રક્ષણ
નિષ્ણાતે કહ્યું, 'અમે હજી સુધી ઓમિક્રોન સંક્રમણની ગંભીરતા વિશે વધુ જાણતા નથી. વેક્સિનેટેડ અને પહેલા સંક્રમિત થઈ ગયેલા લોકોમાં હળવા લક્ષણો દેખવામાં આવી શકે છે. જો કે, ખરાબ ઈમ્યુનિટી વાળાઓ પર આની અસર પાછલા વેરિયન્ટ જેવી જ છે. આ માટે હોસ્પિટલ પ્લાનિંગના મામલામાં આપણે ખરાબ પરિસ્થિતિની સામે લડવા તૈયાર રહેવું જોઈએ
ઓમિક્રોનથી બાળકોને પણ ખતરો રહેલો છે.
નિષ્ણાંતો કહ્યું કે, ભારતમાં બાળકો માટે રસીકરણ કાર્યક્રમ હજી શરૂ કરવામાં થી આવ્યો. બાળકોને સલામત રહેવા માટે રસી આપવીએ એક સારો વિચાર સાબિત થઈ શકે છે. ભારતે ગરીબ રોગપ્રતિકાર લોકોને બુસ્ટર ડોઝ અથવા વધારાનો ડોઝ આપવા અંગે હજી નિર્ણય લીધો નથી. આ વાયરસ ઝડપછી ફેલાઈ રહ્યાં છે.