ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસો ઝડપથી વધી રહ્યાં છે. દેશમાં કુલ કેસનો આંકડો 600ને વટાવી ગયો છે. જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોધાયા છે.
ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 6,358 નવા કેસ નોંધાયા છે.
દેશમાં ઓમિક્રોનના અત્યાર સુધી કુલ 653 દર્દીઓ નોધાયા છે.
દેશમાં રસીના અત્યાર સુધી 142.47 કરોડ ડોઝ આપવામાં આવ્યા
COVID19 | India reports 6,358 new cases and 6,450 recoveries in the last 24 hours. Active caseload currently stands at 75,456. Recovery Rate currently at 98.40%
ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 6,358 નવા કેસ નોંધાયા છે
દેશમાં માત્ર એક જ દિવસમાં કોરોના વાયરસના નવા 6,358 કેસ નોધાયા છે. જેની સામે 6,450 લોકો કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા છે. હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 75,456 થઈ ગઈ છે. જ્યારે ઓવરઓલ રિકવરી રેટ 98.40 ટકા છે. દરમિયાન, દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઓમિક્રોન વેરિયન્ટના 167 દર્દીઓ નોધાયા
ભારતમાં આ નવા વેરિઅન્ટના કુલ કેસની સંખ્યા 653 થઈ ગઈ છે.જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટના 167 કેસ નોધાયા છે, જ્યારે દિલ્હીમાં 165, કેરળમાં 57, તેલંગાણામાં 55 અને ગુજરાતમાં 49 કેસ નોંધાયા છે. ઓમિક્રોન વેરિયન્ટથી ડિસચાર્જ થઈ રિકવરીના દર્દીઓમાં મહારાષ્ટ્રમાં 61, દિલ્હીમાં 23, કેરળમાં 1, તેલંગાણામાં 10 અને ગુજરાતમાં 10 છે. આ 5 રાજ્યો બાદ અન્ય અસરગ્રસ્ત રાજ્યોમાં રાજસ્થાન, તમિલનાડુ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઓડિશાનો સમાવેશ થાય છે.
દેશમાં રસીના અત્યાર સુધી 142.47 કરોડ ડોઝ આપવામાં આવ્યા
દેશમાં વાયરસના કહેરથી બચવા માટે રસીકરણની ઝડપ વધારી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં રસીના 142.47 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. સક્રિય કેસ કુલ કેસના 1 ટકા કરતા ઓછા છે, હાલમાં તે 0.22 ટકા છે. આ આંકડો માર્ચ 2020 પછીનો સૌથી ઓછો છે. જ્યારે રિકવરી રેટ હાલમાં 98.40 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે.છેલ્લા 85 દિવસમાં દૈનિક પોઝિટિવ કેસ દર (0.61 ટકા)2 ટકાથી ઓછો છે જ્યારે છેલ્લા 44 દિવસમાં સાપ્તાહિક પોઝિવિટીનો દર (0.64 ટકા) 1 ટકાથી ઓછો છે. ચેપને શોધવા માટે અત્યાર સુધીમાં 67.41 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
જાન્યુઆરીથી બાળકોનું રસીકરણ શરૂ થશે
ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોન વેરિઅન્ટ સામે આવ્યા બાદ સરકારે 15 થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવાનો નિર્ણય લીધો છે. તેમનું રસીકરણ જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. આ વયજૂથના લોકોને માત્ર કોવેક્સિન આપવામાં આવશે. આ સાથે આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને ત્રીજા ડોઝ તરીકે સાવચેતીનો ડોઝ આપવામાં આવશે.