ભારતમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યાં છે. 6 મહિના બાદ રવિવારે દિલ્હીમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. દિલ્હી એમ્સના નિષ્ણાંતનું કહેવુ છે કે કોરોનાના કેસમાં ઉછાળ આવવાનું મૂળભૂત કારણ ઓમિક્રોન વેરિએન્ટ છે.
દિલ્હીમાં રવિવારે કોરોનાના 107 નવા કેસ સામે આવ્યાં છે. આ સિવાય 10 દિવસ બાદ કોરોનાથી એક જણનું મોત થયું તેવો મામલો સામે આવ્યો છે. તો દિલ્હીમાં ઓમિક્રોનના 2 નવા કેસ સામ આવતા નવા વેરિએન્ટના રાજધાનીમાં અત્યાર સુધી 24 કેસ થઇ ગયા છે. એમ્સમાં કોમ્યુનિટી મેડિસિન પ્રોફેસર સંજય રાયે દિલ્હીમાં વધી રહેલા કોરોનાના કેસોને જોઈને સંતર્ક રહેવાની સલાહ આપી છે.
ઓમિક્રોનની સંક્રમકતા ખૂબ જ તિવ્ર
પ્રોફેસર સંજય રાયે કહ્યું કે ઓમિક્રોનની સંક્રમકતા ખૂબ તિવ્ર છે અને આ વેરિએન્ટ અતિસંવેદનશીલ આબાદી સુધી પહોંચે છે. તો પહેલા ઝડપથી ફેલાય છે અને પછી ધીરે-ધીરે તેનો ગ્રાફ નીચે જતો રહે છે. ભારતમાં મહામારીની બીજી લહેર દરમ્યાન આવી સ્થિતિ જોવા મળી હતી. પ્રોફેસર રાય મુજબ, કોઈ પણ વાયરસ માટે વધુ શરદી અને ગરમીમાં ફેલાવુ કપરું હોય છે. પરંતુ ઠંડકના સંપર્કમાં આવવાથી વ્યક્તિની ઈમ્યુનિટી નબળી પડી જાય છે. જેનાથી વ્યક્તિ વાયરસની ઝપેટમાં જલ્દી આવી જાય છે.
આ મહિનામાં સંક્રમણનું સંકટ વધારે: પ્રોફેસર રાય
પ્રોફેસર રાયે કહ્યું, વાયરસ માટે સૌથી સારું તાપમાન 20 થી 30 ડિગ્રીની વચ્ચે હોય છે. તેથી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ફેબ્રુઆરી અને માર્ચ આ વાયરસ માટે વધુ અનુકૂળ મહિના હોય છે. આ મહિનામાં સંક્રમણનું સંકટ વધારે હોય છે.