દુનિયામાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટની ઓળખ માટે ભારતીય વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે.
ભારતીય વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા
2 કલાકમાં ઓમિક્રોનનો ટેસ્ટ કરતી આપતી કિટ બનાવી
સામાન્ય રીતે તો 3-4 દિવસમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ શકે છે
ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR) આસામના દિબ્રુગઢમાં એક કોવિડ ટેસ્ટ કિટ તૈયાર કરી રહી છે. આ કિટ દ્વારા ફક્ત 2 કલાકની અંદર નવા ઓમિક્રોન વેરિયન્ટની જાણકારી મેળવી શકાય છે. દેશમાં ઘણા રાજ્યોમાં વધી રહેલા ઓમિક્રોનના કેસોની વચ્ચે આ કિટ ઘણી મહત્વની સાબિત થઈ શકે છે. ICMRના વૈજ્ઞાનિક ડોક્ટર બિશ્વજ્યોત બોર્કાકોત્યની આગેવાનીમાં વૈજ્ઞાનિકોની ટીમે આ કિટ બનાવી છે.
ત્રણથી ચાર દિવસ 2 કલાકમાં ઓમિક્રોનનો ટેસ્ટ
અત્યાર સુધી તો કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના નિદાન માટે ત્રણથી ચાર દિવસની રાહ જોવી પડતી હતી અને ત્યારે ખબર પડતી હતી કે દર્દીને ઓમિક્રોન છે કે નહીં પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવેલી આ કિટથી ફક્ત બે કલાકમાં ઓમિક્રોની પુષ્ટિ થઈ જશે.
ઓમિક્રોનના ખતરાની વચ્ચે એક દિવસમાં બે પોઝિટીવ ન્યૂઝ
ઓમિક્રોનના ખતરાની વચ્ચે ભારતે દુનિયાને એક દિવસમાં બે પોઝિટીવ ન્યૂઝ આપ્યાં છે. પહેલી ઘટનાની વાત કરીએ તો પુણેમાંં એક દોઢ વર્ષની બાળકીએ ઓમિક્રોનને માત આપી છે તે સંપૂર્ણપણે સાજી થઈ છે જે દુનિયા માટે ખૂબ રાહતના સમાચાર નીવડી શકે છે. બીજી ઘટનામાં ભારતીય વૈજ્ઞાનિકોએ ફક્ત 2 કલાકમા ઓમિક્રોનની ઓળખ કરતી કિટ તૈયાર કરી છે જેનાથી ઓમિક્રોનની ઝડપથી ખબર પડી જશે.
ભારતમાં અત્યાર સુધી ઓમિક્રોનના 33 કેસ
ભારતમાં અત્યાર સુધી ઓમિક્રોનના 33 કેસ નોંધાયા છે. પરંતુ ઓમિક્રોનમાંથી સાજા થયાની પહેલી ઘટના ભારતમાં નોંધાઈ છે. પુણેમાં દોઢ વર્ષની બાળકીએ ઓમિક્રોનના નવા વેરિયન્ટ ઓમિક્રોનમાંથી સાજી થઈ છે.
ઓમિક્રોનના દર્દીઓ 10થી 12 દિવસમાં સાજા થઈ શકે છે
દક્ષિણ આફ્રિકાના જાણીતા ડોક્ટર અનબેન પિલ્લેએ જણાવ્યું કે ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા કરતા હળવો છે જોકે તેના ફેલાવાની ક્ષમતા ડેલ્ટા કરતા વધારે છે. તેમણે કહ્યું કે નવા વેરિયન્ટના દર્દીઓને હોસ્પિટલમાં મોકલવા્ની જરુર નથી. દર્દી ઘર પર જ 10 થી 12 દિવસ રહીને સાજો થઈ શકે છે. જોકે વૃદ્ધો અને ગંભીર બીમારથી ગ્રસ્ત દર્દીઓ માટે ખતરો છે.