દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના કારણે છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં 1.17 લાખ કોરોના પોઝિટિવ કેસ મળ્યાં છે. તો ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા પણ 3 હજારને પાર પહોંચી ગઇ છે. જો કોઈ ઓમિક્રોનથી સંક્રમિત થઇ જાય છે, તો તેને સમજાતુ નથી કે તેણે કયા ફૂડનું સેવન કરવુ જોઈએ.
ઓમિક્રોનના લક્ષણો દેખાતા કરો આ ફૂડનુ સેવન
ઓમિક્રોન સંક્રમિત દર્દીમાં કયા લક્ષણો જોવા મળે?
ઓમિક્રોન પોઝીટીવ દર્દી દહીનું સેવન કરી શકે
ખાસ કરીને સંક્રમિત દર્દીને ભૂખ ના લાગે ત્યારે. કારણકે ભૂખ ના લાગવી તે પણ ઓમિક્રોનનું એક લક્ષણ છે.
જાણો, ઓમિક્રોનના લક્ષણો
સેન્ટ જોસેફ હેલ્થમાં ઈન્સ્ટીટ્યુટ ફોર ઓટોઈમ્યુન એન્ડ રૂમેટીક ડીજીજની ડાયરેક્ટર અને ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ બુકની રાઈટર ડૉ. રોબર્ટ જી લાહિતા કે જે ડૉ. બોબના નામથી ઓળખાય છે. તેમના જણાવ્યાં મુજબ, જે લોકો ઓમિક્રોન, ડેલ્ટા અને ઈન્ફલુએન્જાથી સંક્રમિત થાય છે, એવા લોકોમાં ભૂખની કમી ઓછી હોય છે. ઓમિક્રોન થતાં ગળામાં વધુ દુ:ખાવો થાય છે. એવુ લાગે છે કે ગળુ ખરાબ થઇ ગયુ હોય અને તેમાં કોઈ વસ્તુ ભરાઈ ગઇ હોય. ગળામાં કોઈ તરલ પદાર્થ પીવાથી ગળામાં દુ:ખાવો પણ થાય છે. ઓમિક્રોનના લક્ષણ દેખાતા તમે આ ખાદ્ય પદાર્થનું સેવન કરી શકો છો.
દહી
ઓમિક્રોન પોઝીટીવ આવતા તમારા માટે દહીનું સેવન સૌથી અસરકારક રહેશે. દહી ખાવામાં ખૂબ નરમ અને ઠંડુ રહે છે. જેનાથી ગળામાં સારું અનુભવાય છે. આ સાથે દહી પ્રોટીનથી ભરપૂર હોય છે. જેના કારણે ભૂખ પણ ઓછી લાગશે. ડૉ. બોબ મુજબ, ઓમિક્રોનના લક્ષણ દેખાતા દહીનુ સેવન કરવા માટે તેમાં થોડુ ગ્રેનોલા મિક્સ કરો અને પછી તેનુ સેવન કરો. જો ઈચ્છે તો પોટેશિયમ માટે 1 કેળુ પણ કાપીને નાખી શકો છો. પરંતુ ધ્યાન રાખજો કે કેળાના નાના ટુકડા ના થઇ જાય. નહીં તો ગળવામાં મુશ્કેલી થશે.
સૂપ અને શોરબા
ગળાને આરામ આપવા અને પોષણ લેવા માટે એક જે સરળ મીલ છે, તે છે સૂપ અને શોરબા. ડૉ. બોબ મુજબ, સૂપ અને શોરબામાં ઘણા ઇલેક્ટ્રોલાઇટ હોય છે, જેનુ સેવન સારુ રહેશે. જો તમને વધુ ભૂખ લાગે છે તો સૂપમાં શાકભાજી નાખી શકો છો. જેનાથી શરીરને વધુ પોષક તત્વ મળશે. જેનાથી સંક્રમણ સામે લડવામાં મદદ મળશે.
પાંદડાવાળી શાકભાજી
ડૉ. બોબ મુજબ, પાંદડાવાળી શાકભાજી અને ક્રૂસવાળી શાકભાજીનું સેવન કરવુ ઓમિક્રોનના સંક્રમિતોને ખૂબ ફાયદો પહોંચાડી શકે છે. જેના માટે પાલક, સરસો, કોબીજ, ફૂલાવર, મેથીની ભાજી વગેરેનુ સેવન કરી શકો છો. જેનાથી સારા પોષક તત્વો મળશે, જે સંક્રમણ સામે લડવામાં મદદ કરી શકે છે.
પ્રોટીન શેક
ડૉ. બોબ મુજબ, ઓમિક્રોનના દર્દી હંમેશા હળવો આહાર ખાવાનુ પસંદ કરે છે. તેથી તેઓ પ્રોટીન શેકનુ સેવન કરી શકે છે. પ્રોટીન શેક હળવો હોય છે અને તેનુ સેવન કરવાથી ગળામાં દબાણ આવતુ નથી. તેથી પોતાનો મનપસંદ પ્રોટીન પાઉડરને દૂધ અથવા પાણીમાં મિલાવીને પી શકો છો.
ઈલેક્ટ્રોલાઈટ્સવાળી ડ્રીન્ક
ડૉ. બોબ મુજબ, ઓમિક્રોન સંક્રમિતોએ લિક્વિડ પદાર્થનું સેવન કરવુ ખૂબ જરૂરી છે. તેથી એવા પીણા પીવે જેમાં ઈલેક્ટ્રોલાઈટ્સ છે, જે ખાસ કરીને ઝાડા-ઉલટીની સમસ્યા હોય. ઈલેક્ટ્રોલાઈટ્સવાળી ડ્રીન્ક પીવાથી શરીરમાં સોડિયમની માત્રા નોર્મલ રહેશે. ઈલેક્ટ્રોલાઈટ્સ ડ્રીન્ક તરીકે ઈલેક્ટ્રોલ પાઉડરનુ સેવન કરી શકો છો. જે કોઈ મેડિકલ દુકાન પર મળી જશે.