ભારતમાં રવિવારે કોરોનાથી અંદાજિત 1.80 લાખ કેસ સામે આવ્યા છે. એક્સપર્ટના અનુસાર, દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર શરૂ થઇ ગઇ છે.
છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 1.80 લાખ કેસ
વધતા કેસ પર એક્સપર્ટે ચિંતા વ્યક્ત કરી
ઝડપથી ફેલાઇ રહ્યો છે વાયરસ
ભારતમાં ઓમિક્રોનના 4033 કેસ નોંધાઇ ચૂક્યા છે. આનાથી બચવા માટે તમામ રિસર્ચ ચાલી રહ્યા હતા કે ત્યાં ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયન્ટ મિક્સ વેરિયન્ટ ડેલ્ટાક્રોનની પણ ઓળખ થઇ ચૂકી છે.
વાયરસથી બચવા માટે લોકોને સાવધાની રાખવા, ભીડ-ભાડવાળી જગ્યા પર ન જવા અને હાથ સાફ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. એક્સપર્ટનું કહેવું છે કે, જાન્યુઆરીના અંતમાં કોરોનાના કેસ ચરમ પર હશે.
યુકેના પહેલા ઓફિશિયલ રિપોર્ટ અનુસાર, ઓમિક્રોનથી હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ડેલ્ટા વેરિયન્ટની તુલનામાં 50થી 70 ટકા ઓછી છે. ત્યારે, હેલ્થ એક્સપર્ટ્સના અનુસાર, વેક્સીનનો બુસ્ટર ડોઝ ઓમિક્રોનથી બચાવ કરી શકે છે.
હાલમાં જ એક સ્ટડી થઇ, જેમાં જણાવાયું છે કે, કઇ જગ્યા પર વાયરસની ઝપેટમાં આવવાનો ખતરો સૌથી વધુ હોય છે. જો કોઈ જગ્યા પર જાય છે તો પોઝિટિવ આવવાનો ચાન્સ વધી જાય છે અને જેનાથી બીજાને પણ આ વાયરસ ફેલાઇ શકે છે. આ સ્ટડીના ડેટા યૂકેમાં ઓમિક્રોનના ડોમિનેન્ટ વેરિયન્ટ બનતા પહેલા લેવામાં આવ્યા હતા અને પછી તેની સ્ટડી કરવામાં આવી હતી.
10 હજાર લોકો થયા હતા સ્ટડીમાં સામેલ
SAGEની આ સ્ટડીમાં 10 હજાર લોકોની રોજિંદી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી હતી, જેમાં સામે આવ્યું કે જે લોકો બહાર ખરીદી કરવા ગયા હતા, તે લોકોમાં સૌથી વધુ વાયરસ ફેલાવાનો ખતરો હતો. શોપિંગ બાદ, પબ અને રેસ્ટોરન્ટ જનારા અને ત્યારબાદ જાહેર વાહનોમાં પરિવહન કરનારા લોકોમાં સૌથી વધુ વાયરસ ફેલાવાનું જોખમ હતું.
સ્ટડીમાં એ જણાઇ આવ્યું કે જે લોકોને કામ માટે પોતાનું ઘર છોડવું પડ્યું, તે લોકોમાં ઘરથી ન નિકળનારા લોકોની તુલનામાં કોવિડની શક્યતા વધુ હતી. ત્યારે, રિસર્ચર્સ હજુ સિનેમા હોલ, મ્યૂઝિક કોન્સર્ટ, નાઇટ ક્લબ અથવા ખેલ ઇવેન્ટમાં જવા અને વાયરસના જોખમનો વિશ્વસનીય ડેટા ઉપલબ્ધ કરાવવામાં સક્ષમ નહોતા.