નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે ફેબ્રુઆરી 2022માં કોરોનાની નવી લહેર આવી શકે છે.
ફેબ્રુઆરીમાં દૈનિક નવા મામલા 1.5થી 1.8 લાખની વચ્ચે થઈ શકે
દક્ષિણ આફ્રિકામાં મામલાની સંખ્યા 3 અઠવાડિયામાં ચરમ પર
રસી આ વેરિએન્ટથી બચાવી શકે છે કે નહીં એ કહેવું મુશ્કેલ
ફેબ્રુઆરીમાં દૈનિક નવા મામલા 1.5થી 1.8 લાખની વચ્ચે થઈ શકે
કોરોનાની ત્રીજી લહેરને લઈને વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે. ભારતમાં વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે ફેબ્રુઆરી 2022માં કોરોનાની નવી લહેર આવી શકે છે. મહામારી પર નજર રાખવાના સૂત્ર મોર્ડલ અંગે 2 વૈજ્ઞાનિકોઓએ અનુમાન લગાવ્યું છે. એક રિપોર્ટ મુજબ આઈઆઈટી કાનપુરના મનિંદ્ર અગ્રવાલ અને મોર્ડલના સહ સંસ્થાપક એટલે આઈઆઈટી હેદરાબાદના એમ વિદ્યાસાગરનું માનવું છે કે સૌથી ખરાબ સ્થિતિમાં ફેબ્રુઆરીમાં દૈનિક નવા મામલા 1.5થી 1.8 લાખની વચ્ચે થઈ શકે છે.
દક્ષિણ આફ્રિકામાં મામલાની સંખ્યા 3 અઠવાડિયામાં ચરમ પર
મનિન્દ્ર અગ્રવાલનું માનવું છે કે આ નવી વેરિએન્ટની ઉત્પત્તિ દક્ષિણ આફ્રીકાથી થઈ હતી. જો તેમની વિરુદ્ધ કોઈ પાયા ઉપાય કરવામાં આવે તો નવા સંક્રમણનો પ્રસાર તેજીથી તો થશે પરંતુ શિખર પર પહોંચ્યા બાદ તેજ ગતિથી પડવાનું શરુ કરી દીધું છે. દક્ષિણ આફ્રિકામાં મામલાની સંખ્યા 3 અઠવાડિયામાં ચરમ પર છે. જો કે અહીં ઘટાડો શરુ થઈ ગયો છે.
રસી આ વેરિએન્ટથી બચાવી શકે છે કે નહીં એ કહેવું મુશ્કેલ
ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રીકામાં કોરોનાના મામલાની સરેરાશ સંખ્યા 15 ડિસેમ્બરે લગભગ 23, 000થી વધારે સ્તર પર પહોંચી ગઈ અને હવે 20,000થી નીતે આવી ગઈ છે. કોરોનાના નવા સંસ્કરણ અંગે એક વાર હજું પણ અજ્ઞાત છે કે આ કઈ હદ સુધી પ્રતિરક્ષાથી બચી શકે છે. આ કહેવું મુશ્કેલ છે કે આ પ્રાકૃતિક રુપથી બચાવે છે કે નહીં.
અહીં દૈનિક મોતના આંકડા 20 ટકા છે
જો યુનાઈટેડ કિંગડમ અને સંયુક્ત રાજ્ય અમેરિકાના મામલા, મોત અને હોસ્પિટલમાં દાખલ થવા અંગે હાજર અનુમાનો પર વિચાર કરવામાં આવે તો ફેબ્રુઆરીથી ઓમિક્રોનનો ડર ઓછો થવાની શક્યતા છે. યૂકે અને યુએસમાં સંયુક્ત રુપથી કોરોનાના મામલાના 34 ટકા અને વૈશ્વિક સ્તર પર કોરોનાથી થનારા દૈનિક મોતના આંકડા 20 ટકા છે.
યુકે અને યુએસ માટે અનુમાન
યુકેના સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સી અનુંસાર દેશના ઓમિક્રોન મામલાની સંખ્યા 20 ડિસેમ્બરે 45, 000ને પાર થઈ ગયા. તેમાંથી 129 હોસ્પિટલની દેખરેખમાં છે અને 14 દર્દીએ વાયરસના કારણે શ્વાસ છોડ્યા છે. બ્રિટને પહેલાની જેમ નવી રીતે ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે દૈનિક નવા મામલાનો અઠવાડિક દરમાં 61 ટકાની વુધ્ધિ થઈ છે. ત્યારે હોસ્પિટલમાં દાખલ થનારાની સંખ્યામાં 6 ટકાનો વધારો થયો છે. જો કે આ સમયમાં મરનારાની સંખ્યા 5 ટકાનો ઘટાડો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સીડીસીનું માનવુ છે કે ઓમિક્રોનના મામલા હાલની વૃદ્ધિથી આવનારા અઠવાડિયામાં રાષ્ટ્રીય ઉછાળ આવવાની શક્યતા છે. જેમાંથી નવા સંક્રમણોની દૈનિક સંખ્યા ગત શિખરથી વધારે થઈ શકે છે.