કેન્દ્ર સરકારે પહેલી વાર મોટી જાહેરાત કરી છે કે દેશમાં હવે ઓમિક્રોન કોરોના સંક્રમણનો મુખ્ય વેરિયન્ટ છે.
સાપ્તાહિક બ્રીફિંગમાં કેન્દ્ર સરકારની મોટી જાહેરાત
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું ઓમિક્રોન કોરોના સંક્રમણનો મુખ્ય વેરિયન્ટ
દેશમાં ડેલ્ટાનો પ્રકોપ પણ ચાલુ હોવાનો કેન્દ્રની કબૂલાત
દેશમાં કોરોનાની હાલની પરિસ્થિતિને લઈને માહિતી આપતા નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ ડિરેક્ટર સુજીત સિંહે ગુરુવારે એવું જણાવ્યું કે ડિસેમ્બરમાં દેશમાં ઓમિક્રોનો વેરિયન્ટના 1292 કેસ હતા અને જાન્યુઆરી આ આંકડો વધીને 9672 થયો. હાલમા ભારતમાં ઓમિક્રોન કોરોના સંક્રમણનો મુખ્ય વેરિયન્ટ છે. સાપ્તાહિક બ્રીફિંગમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાને લઈને મહત્વની માહિતી જાહેર કરી છે. NCDC ડિરેક્ટરે જણાવ્યું કે દેશમાં હવે ઓમિક્રોન કોરોના સંક્રમણનો મુખ્ય વેરિયન્ટ છે અને હાલમાં દેશમાં ડેલ્ટાનો પણ પ્રકોપ ચાલુ છે.
Omicron sub-variant BA.2 is more prevalent in India now: NCDC Director on COVID19 situation in India pic.twitter.com/d7dYGMWOb3
ઓમિક્રોનનો પેટા વેરિયન્ટ BA.2 એ ભારતમાં હાલમાં મુખ્ય પ્રચલિત વેરિયન્ટ
લવ અગ્રવાલે કહ્યું કે ઓમિક્રોનનો પેટા વેરિયન્ટ BA.2 એ ભારતમાં હાલમાં મુખ્ય પ્રચલિત વેરિયન્ટ છે. તેમણે કહ્યું કે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન દેશમાં કુલ પોઝિટિવીટી રેટ 17.75 ટકા રહ્યો છે. 11 રાજ્યોમાં 50,000 કોરોના કેસ છે અને 14 રાજ્યોમાં 10,000-50,000 એક્ટિવ કેસ અને 11 રાજ્યોમાં 10,000 એક્ટિવ કેસ છે.
દેશમાં ડેલ્ટાનો પ્રકોપ પણ ચાલુ
લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં ઓમિક્રોનની સાથે સાથે ડેલ્ટાનો પ્રકોપ પણ ચાલુ છે. હાલમાં દેશમાં કોરોના કેસ વધવા પાછળ મુખ્ય વેરિયન્ટ ઓમિક્રોન જ છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પહેલી વાર આવો ખુલાસો કર્યો છે. જે લોકો ઓમિક્રોન સંક્રમણમાંથી સ્વસ્થ થયા છે તેમની કોરોનાના તમામ પ્રકારો સામે મજબૂત રોગપ્રતિકારક શક્તિ છે. આનો અર્થ એ થયો કે ભલે દેશમાં ઓમિક્રોનના કારણે સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા હોય, પરંતુ તે ડેલ્ટા જેવા ખતરનાક વેરિયન્ટ્સને પણ રોકી શકે છે. Omicron પ્રબળ વેરિયન્ટ તરીકે ડેલ્ટાને રિપ્લેસ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં ડેલ્ટાને સંપૂર્ણપણે રિપ્લેસ કરી શકે છે. ખરેખર, ડેલ્ટા વેરિઅન્ટ ખૂબ જ ઘાતક હતો. આના કારણે ભારતમાં કોરોનાની વિનાશક બીજી લહેર આવી હતી.
There're over 3 lakh active cases in Karnataka, Maharashtra &Kerala &over one lakh in Andhra Pradesh, Gujarat & Tamil Nadu. We're in touch with the states regarding containment activities. As of Jan 26, 551 districts were reporting case positivity rate of over 5%: Health Ministry https://t.co/S70u1yba3W
ભારતમાં કોરોના વાયરસના ઝડપથી ફેલાતા પ્રકાર ઓમિક્રોનના સંક્રમણથી સંક્રમિત લોકોમાં જે કુદરતી રોગપ્રતિકારક શક્તિ બનાવવામાં આવી રહી છે, તે ડેલ્ટા જેવા ઘાતક વેરિયન્ટ્સને પણ રોકવામાં પણ સફળ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે ઓમિક્રોન ઈન્ફેક્શનમાંથી સાજા થઈ રહેલા લોકોમાં ઇમ્યુનિટી બની રહી છે. અને જે ઇમ્યુનિટી જાળવવામાં આવી રહી છે તે માત્ર આ પ્રકારથી જ નહીં પરંતુ ડેલ્ટા સહિત કોરોનાના અન્ય પ્રકારોથી પણ મજબૂત સુરક્ષા આપી રહી છે.
એક વાર સંક્રમિત થયા પછી ફરી સંભાવના ઓછી
જે લોકો ઓમિક્રોન સંક્રમણથી સ્વસ્થ થયા છે તેઓને ફરીથી સંક્રમણ લાગવાની સંભાવના ઘણી ઓછી છે. આ ઉપરાંત, ઓમિક્રોન ઝડપથી પ્રભાવશાળી સ્ટ્રેઇન તરીકે ડેલ્ટાને રિપ્લેસ કરી રહ્યો છે, એટલે કે, હવે મોટાભાગના કેસ ઓમિક્રોનના સામે આવી રહ્યા છે, ડેલ્ટા વેરિયન્ટ ઘટી રહ્યો છે.