કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને નવો રિપોર્ટ સામે આવ્યો છે. જેનાથી દુનિયાભરની ચિંતા વધારી દીધી છે. મહત્વનું છે કે, ભારતમાં પણ આ વેરિયન્ટના કેસો સામે આવી ચુક્યાં છે
ઓમિક્રોન વેરિયન્ટને લઈને એક રિપોર્ટ સામે આવ્યો
દક્ષિણ આફ્રિકાના 9 થી 5 પ્રાંતમાં ઓમિક્રોનના કેસો મળી આવ્યા છે.
ઓમિક્રોનથી રીઈન્ફેક્શનનો ખતરો ત્રણ ગણો થઈ જાય છે.
નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને દક્ષિણ આફ્રિકાની એક રિપોર્ટ સામે આવ્યો
કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. મહત્વનું છે કે,દક્ષિણ આફ્રિકાએ નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આ વાયરસ અંગે લોકોને ચેતવણી આપવાની શરૂ કરી હતી. આ નવા વેરિયન્ટને લઈને દુનિયાભરમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. ભારતમાં પણ ઓમિક્રોન વાયરસના બે કેસો મળી ચુક્યા છે. આ બંને કેસો કર્ણાટકમાંથી મળી આવ્યાં છે. જેમાંથી એક દર્દીતો યુએઈ પણ જતો રહ્યો હતો.હવે દક્ષિણ આફ્રિકાના પ્રારંભીક ડેટા અનુસાર ગુરુવારે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો જેમાં ઓમિક્રોન વેરિયન્ટને લઈને ઘણી વાતો સામે આવી છે. આ સ્ટડીમાં મેડિકલ પ્રી પ્રિંટ સર્વર પર અપલોડ કરવામાં આવ્યાં છે. જો કે, હજી તેની સમીક્ષા થઈ નથી
દક્ષિણ આફ્રિકાના 9 થી 5 પ્રાંતમાં ઓમિક્રોનના કેસો મળી આવ્યા છે.
અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાના 9 પ્રાંતમાંથી 5 પ્રાંતમાં ઓમિક્રોનના મામલા સામે આવી ચુક્યાં છે. જો કે, વાયરસના આ વેરિયન્ટને પૂરા દક્ષિણ આફ્રિકામાં હોવાની સંભાવના છે.
ઓમિક્રોનથી રીઈન્ફેક્શનનો ખતરો ત્રણ ગણો થઈ જાય છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે,ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા અને બીટાની તુલનામાં ત્રણ ઘણો વધારે રી ઈન્ફેક્શન કરી શકે છે.એટલે કે,જે લોકોને કોવિડ-19થી પહેલા સંક્રમિત થઈ ચુક્યા છે. તેઓ પણ ફરીથી સંક્રમિત થવાની સંભાવના છે.રિપોર્ટ અનુસાર 27 નવેમ્બર સુધી કોવિડ પોઝિટીવ થયેલા 28 લાખ લોકોમાંથી 35,670 લોકો ફરી કોરોના સંક્રમિત થયા હોવાનું અનુમાન છે.કોવિડ-19 સંક્રમિત થયા હોવાના 90 દિવસ બાદ જો કોઈ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવે છે તો તેને રી-ઈન્ફેક્શન માનવામાં આવશે. કેટલાક વૈજ્ઞાનિકોએ પહેલા પણ કહી ચુક્યાં છે. ઓમિક્રોન વેરિયન્ટના સ્પાઈક પ્રોટીનમાં સૌથી વધુ મ્યૂટેશન હોવાથી તે વધુ સંક્રમિત કરી શકે છે
વેક્સિન થી બચાવ તો થાય છે પરંતુ પૂરી રીતે નહીં
દક્ષિણ આફ્રિકામાં જાહેર કરાયેલા આ રિપોર્ટ અનુસાર, ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટથી સૌથી વધુ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. અને તેના પર વેક્સિનનો પૂરી રીતે અસર થતી નથી. જો કે, વેક્સિન હજુ પણ ખતરનાક બીમારી સામે રક્ષણ પ્રદાન કરી રહી છે.
ઓમિક્રોન વેરિયન્ટ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. ?
આને લઈને હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. કારણ કે, દક્ષિણ આફ્રિકામાં દર અઠવાડિયે ભેગા કરવામાં આવેલા સેમ્પલો એક નાના જીનોમ સીક્વેંસિંગ કરી રહ્યાં છે. દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધીમાં ઓમિક્રોન કેસોની કુલ સંખ્યાને લઈને કોઈ આંક સામે આવ્યો નથી. જો કે, સ્પષ્ટ છે કે, દક્ષિણ આફ્રિકામાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના બમણાં કેસો સામે આવ્યા છે. અને દૈનિક લગભગ 8 હજારની આસપાસ મામલાઓ આવી રહ્યાં છે.