MP બાદ હવે હરિયાણા, ગુજરાત, યુપી સહિત દેશના મોટાભાગના રાજ્યોએ રાત્રિ કફર્યુ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દિલ્હીમાં પણ ઓડ-ઈવન નિયમો અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
ઓમિક્રોનાના પગલે કેન્દ્ર -રાજ્ય સરકારોએ ગાઈડ લાઈન જાહેર કરી
મહારાષ્ટ્રમાં નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ
ગુજરાતના રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફરી ફેરફાર
ઓમિક્રોનાના પગલે કેન્દ્ર સહિત રાજ્ય સરકારોએ નવી ગાઈડ લાઈન જાહેર કરી
કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના કહેરના પગલે કેન્દ્ર સહિત રાજ્ય સરકારોએ નવી ગાઈડ લાઈનન જાહેર કરી છે. અને ધીમે ધીમે તમામ પ્રતિબંધો પુનઃ લગાવી રહી છે. જેમાં ક્રિસમસ અને નવા વર્ષની પાર્ટી અને નાઈટ કર્ફ્યુ પર પ્રતિબંધ મૂક્યો છે.
મહારાષ્ટ્રમાં નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ
કોરોનાના કેસ વધતાં જતાં કેસોને લઈને બીએમસીના કમિશ્નરે નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂક્તો આદેશ જાહેર કર્યોછે. આ આ આદેશ આજે રાત્રે 12 વાગ્યાથી અમલ મુકાવામાં આવ્યો છે. આ ઉપરાંત જીમ, સ્પા, હોટલ, થિયેટર અને સિનેમા હોલ માટે 50 ટકા ક્ષમતા અસરકારક બની છે .
ગુજરાતના રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફરી ફેરફાર
ગુજરાતમાં કોરોના કેસોમાં ધરખમ વધારો થતાં 8 મહાનગરોમાં રાત્રિ કફર્યુંના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં મનપા વિસ્તારોમાં પ્રતિબંધો કડક બનાવવામાં આવ્યા છે. નાઈટ કર્ફ્યૂના સમયમાં રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરી નાખવામાં આવ્યો છે. આ પહેલાની ગાઈડલાઇનમાં નાઈટ કર્ફ્યૂનો સમય 1 થી 5 હતો. જેમાં વધારો કરવામાં આવ્યો છે.
હરિયાણામાં ઈનડોર-આઉટડોર ઈવેન્ટ્સમાં મહત્તમ લોકોની મર્યાદા ઘટાડાઈ
હરિયાણામાં શનિવાર રાત્રે 11 થી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ શરૂ કરવામાં આવ્યો છે. સરકારે ઈન્ડોર અને આઉટડોર ઈવેન્ટ્સમાં મહત્તમ 200 લોકોની મર્યાદા રાખી છે. આ પ્રતિબંધો શનિવારથી અમલમાં આવશે જે અગામી 5 જાન્યુઆરી સુધી લાગુ રહેશે. બીજી તરફ જે લોકોને બંને ડોઝ નહી મળે તેમને 1 જાન્યુઆરીથી મોલ, સિનેમા અને હોટલમાં કે ભીડભાડવાળી સ્થળોએ ફરવાની મંજૂર નહી આપે
યુપીમાં શનિવાર 25 ડિસેમ્બરથી રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાજ્યવ્યાપી નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવશે. આ પહેલા મધ્યપ્રદેશ સરકારે રાત્રિ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો હતો. તે જ સમયે, તેલંગાણાના એક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
ઓરિસ્સામાં 2જી જાન્યુઆરી સુધી અનેક પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવી છે
ઓરિસ્સામાં નવીન પટનાયકની સરકારે આજ થી 2 જી જાન્યુઆરી સુધી અનેક પ્રકારના પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ સાથે રાજ્યમાં નવા વર્ષની ઉજવણી નહીં કરાશે. તેમજ લોકોએ કોવિડ પ્રોટોકોલના કડક પાલનમાં કરવાનું રહેશે
મધ્યપ્રદેશમાં ગઈકાલ રાતથી નાઈટ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે.
રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ભૂતકાળમાં સરકારે લીધેલાં પગલાંનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે અમે પહેલેથી જ નક્કી કર્યું હતું કે બાળકો માત્ર 50 ટકા સંખ્યામાં જ શાળાએ જશે, જેથી ત્યાં સામાજિક અંતર જાળવવામાં આવે. ભારત સરકારે કેટલીક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. તો નાગરિકોને ચોક્કસપણે માસ્ક પહેરવાના, સામાજિક અંતર રાખવા તથા બિનજરૂરી ભીડ જમા ન થવા અપીલ પણ કરી છે.
રાજસ્થાન રસીકરણ ફરજિયાત બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું કહેવું છે કે, રાત્રે 11 થી 5 વાગ્યા સુધી નાઈટ કફર્યુનું કડક પાલન સુનિશ્ચિત કરવું પડશે. નહી તો રાજ્ય સરકાર કડક પગલા લેશે. મુખ્યમંત્રીએ અધિકારીઓને વેહલી તકે રસીકરણ ફરજિયાત બનાવવા નિર્દેશ આપ્યો હતો.
નવી દિલ્હી દુકાનો ઓડ ઈવન ધોરણે ખુલશે
હાઈકોર્ટની નોંધ બાદ દિલ્હીની સરોજિની નગર બજારમાં 25 અને 26 ડિસેમ્બરના સપ્તાહના અંતે ઓડ-ઈવન તરીકે કામ કરશે. એટલે કે શનિવાર, 25 ડિસેમ્બર અને રવિવાર, 26 ડિસેમ્બરે અહીં દુકાન ઓડ-ઇવન ધોરણે ખુલશે. ઉલ્લેખનીય છે કે, ભારે ભીડની તસવીરો વાયરલ થયા બાદ વહીવટીતંત્ર અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.