કોરોના વાયરસના નવા વેરિએન્ટ Omicronએ દુનિયાની સામે એક નવી મુશ્કેલી ઉભી કરી દીધી છે.
શું છે ઓમિક્રોનના નવા લક્ષણો
ફક્ત રાતે દર્દીને જણાય છે આ લક્ષણો
જાણો ડૉક્ટરોએ શું આપી સલાહ
કોવિડ-19ના ડેલ્ટા વેરિએન્ટે ભારત સહિત દુનિયાભરના દેશોમાં કહેર વર્તાવ્યો છે. ડેલ્ટા વેરિએન્ટની સંક્રામકતા ખૂબ જ વધારે હતી. તેમાં દર્દીઓને હલ્કા અને ગંભીર લક્ષણો જોવા મળતા હતા. તેમાં તાવ, સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, લોહીમાં ઓક્સીજનની કમી જેવા લક્ષણો જોવા મળી રહ્યા હતા. હવે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને દુનિયા સામે એક નવી મુશ્કેલી ઉભી કરી દીધી છે. તેની ગંભીરતાને જોતા ટ્રાન્સમિશન રેટ અને લક્ષણોને લઈને ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે.
WHOનો દાવો છે કે નવો ઓમિક્રોન વેરિએન્ટ પહેલા કરતા વધારે સંક્રમિત થઈ ચુકેલા લોકોને પણ સરળતાથી પોતાની ઝપેટમાં લઈ શકે છે. આ ઉપરાંત વેક્સીનના બન્ને ડોઝ લઈ ચુકેલા લોકો પણ ઓમિક્રોન વિરૂદ્ધ સુરક્ષિત નથી. આવનાર અમુક દિવસો કે અઠવાડિયામાં સ્પષ્ટ થઈ જશે કે ઓમિક્રોન વેરિએન્ટ આખરે કેટલો ખતરનાક છે. અત્યાર સુધી દુનિયાભરના ડોક્ટર્સ અને વૈજ્ઞાનિક ઓમિક્રોનમાં ઘણા પ્રકારના લક્ષણ જેવાનો દાવો પણ કરી ચુક્યા છે.
રાતે પરસેવો આવવો અને શરીરમાં દુખાવો
દક્ષિણ આફ્રીકાના સ્વાસ્થ્ય વિભાગના જનરલ પ્રેક્ટિશનર ડૉ. ઉનબેન પિલ્લાનુ કહેવું છે કે ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓને રાતે પરેવો આવવાની ફરીયાદ રહે છે. ઘણી વખત દર્દીઓને એટલો વધારે પરસેવો આવે છે કે તેમના કપડાં કે ડેટ પણ ભીના થઈ જાય છે. સંક્રમિતને ઠંડા વાતાવરણમાં રહેવા છતાં પરસેવો આવે છે. આ ઉપરાંત દર્દીને શરીરમાં દુઃખાવો થવાની ફરીયાદ પણ થઈ શકે છે.
સૂકી ખાંસી અને શરીરમાં દુઃખાવો
ડૉ. ઉનબેન પિલ્લેનું કહેવું છે કે તેમણે ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓમાં સૂકી ખાંસીના લક્ષણો પણ જોયા છે. આ લક્ષણ કોરોનાના અત્યાર સુધીના સૌથી જુના સ્ટ્રેનમાં જોવા મળી ચુક્યા છે. તે ઉપરાંત તાવ અને મસલ્સમાં દુખાવો પણ ઓમિક્રોનના લક્ષણો છે.
ગળું છોલાવવું
આ પહેલા દક્ષિણ આફ્રીકાની એક ડોક્ટર અંજલીકે કોએટ્જીએ ઓમિક્રોન સંક્રમિત લોકોમાં ગળામાં ખીચખીચની જગ્યા પર ગળું છોલાવવા જોવી મુશ્કેલીઓનો દાવો કર્યો છે. જે અસામાન્ય છે. આ બન્ને લક્ષણો લગભગ એક જેવા જ હોઈ શકે છે. જોકે ગળુ છોલાવવાની સમસ્યા વધારે ખતરનાક હોઈ શકે છે.
ઝીણો તાવ
કોરોનાના કોઈ પણ વેરિએન્ટની સાથે હલ્કો તાવ હોવાની ફરીયાદ સતત સામે આવી છે. ડૉ. કોએટ્ઝીનું કહેવું છે કે ઓમિક્રોનના સંક્રમણમાં દર્દીઓને હલ્કો તાવ આવી શકે છે અને તેમાં બોડીનું ટેમ્પ્રેચર પોતાની જાતે જ નોર્મલ થઈ જાય છે.
થાક લાગવો
પાછલા તમામ વેરિએન્ટ્સની જેમ ઓમિક્રોનમાં પણ દર્દીઓને ખૂબ જ વધારે થાક લાગે છે. તેમાં સંક્રમિત વ્યક્તિનું એનર્જી લેવલ ખૂબ જ ઓછુ થઈ જાય છે. શરીરમાં જોવા મળતા લક્ષણને ઈગ્નોર કરવાની જગ્યા પર તરત કોવિડ-19ની તપાસ કરો.