ઓમિક્રોન ખતરાને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશની શિવરાજ સિંહ સરકારે નાઈટ કર્ફ્યુની જાહેરાત કરી દીધી છે.
મધ્યપ્રદેશની શિવરાજ સરકારનો મોટો નિર્ણય
ઓમિક્રોન ખતરાને ધ્યાનમાં લાગુ પાડ્યો નાઈટ કર્ફ્યુ
રાજ્યમાં રાતના 11 થી સવારના 5 સુધી નાઈટ કર્ફ્યુ
ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને નાઈટ કર્ફ્યુ લાગુ પાડનાર મધ્યપ્રદેશ દેશનું પહેલું રાજ્ય છે. જોકે મજાની વાત એ છે કે મધ્યપ્રદેશમાં હાલમાં ઓમિક્રોનનો એક પણ કેસ નથી તેમ છતા પણ શિવરાજ સરકારે વહેલી વાડ કરીને ઓમિક્રોનને અટકાવવા નાઈટ કર્ફ્યુની જાહેરાત કરી છે.
In view of #COVID19 cases, Madhya Pradesh govt imposes night curfew (11 pm to 5 am) from today till further orders: Chief Minister Shivraj Singh Chouhan
જરુર પડશે તો અમે બીજા પણ પ્રતિબંધો લાગુ પાડીશું-મુખ્યમંત્રી ચૌહાણ
નાઈટ કર્ફ્યુની જાહેરાત કરતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે જો જરુર પડશે તો અમે બીજા પણ પ્રતિબંધો લાગુ પાડીશું. તેમણે કહ્યું કે એમપીમાં હાલમાં ઓમિક્રોનનો કોઈ નથી.
મધ્યપ્રદેશમાં ઓમિક્રોનનો એક પણ કેસ નહીં છતાં રાતના 11 થી સવારના 5 સુધી નાઈટ કર્ફ્યુ
સરકારની જાહેરાત અનુસાર રાજ્યમાં રાતના 11 થી સવારના 5 સુધી નાઈટ કર્ફ્યુ રહેશે. દેશમાં વધી રહેલા ઓમિક્રોનના ખતરાની વચ્ચે મધ્યપ્રદેશની શિવરાજ સરકારે મોટી પહેલ કરી છે. કેન્દ્ર સરકારની બે વારની ચેતવણીને ગંભીરતા લેતા શિવરાજ સરકારે કોરોના સંબંધિત એક મોટો નિયમ લાગુ પાડ્યો છે.
કેન્દ્ર સરકારે રાજ્યોને નાઈટ કર્ફ્યુ સહિતના બીજા પ્રતિબંધો લાગુ પાડવાની તાકીદ કરી છે. કેન્દ્ર સરકારની ચેતવણી શિવરાજ સરકારે ગંભીરતાથી લઈને તાબડતોબ મોટો નિર્ણય કર્યો છે. પહેલા મંગળવાર અને હવે ગુરુવારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને બીજી વાર મોટી ચેતવણી આપતા તહેવારોને અનુલક્ષીને નાઈટ કર્ફ્યુ અને સ્થાનિક સ્તરના બીજા પ્રતિબંધો લાગુ પાડવાની તાકીદ કરી છે.
તહેવારો પહેલા નાઈટ કર્ફ્યુ લાગુ પાડો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રાજ્યોને લખવામાં આવેલા લેટરમાં એવું જણાવાયું છે કે દેશમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યાં છે. આવા કિસ્સામાં હિંમત હારવાની જરુર નથી. રાજ્યોએ વધારે સચેત રહીને કેસ પોઝિટીવીટી, ડબલિંગ રેટ, જિલ્લામાં નવા કેસના ક્લસ્ટર પર ધ્યાન રાખવાની જરુર છે. કેન્દ્ર સરકારે રાજ્યોને એવી પણ સલાહ આપી કે રાજ્યોએ તહેવારો પહેલા સ્થાનિક સ્તરના પ્રતિબંધો સહિત નાઈટ કર્ફ્યુ પણ લાગુ પાડવો જોઈએ.
કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન નોટિફાય કરો
ને પણ નોટિફાય કરવાકેન્દ્ર સરકારે રાજ્યોને એવી પણ તાકીદ કરી છે કે તહેવારોમાં ભીડ ભેગી ન થાય તેવા પ્રયાસો સુનિશ્ચિત કરો, કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોનને પણ નોટિફાય કરવા જોઈએ.
100 ટકા વેક્સિનેશનની ખાતરી કરો
કેન્દ્ર સરકારે રાજ્યોને 100 ટકા વેક્સિનેશનની ખાતરી કરવાની પણ તાકીદ કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે રાજ્યોએ ડોર ડૂ ડોર કેમ્પેઈન ઝડપી બનાવવું જોઈએ.
કેન્દ્ર સરકારે રાજ્યોને આપેલી સલાહ
- તહેવારો પહેલા નાઈટ કર્ફ્યુ અને બીજા પ્રતિબંધો લાગુ પાડો
- ભીડે ભેગી ન થાય તેવું ધ્યાન રાખો
- કેસ પોઝિટીવીટી, ડબલિંગ રેટ, કોરોના ક્લસ્ટર પર નજર રાખો
- કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન નોટિફાય કરો