ઓમિક્રોન વેરિએન્ટ પહેલા જ દેશમાં પહોંચી ચૂક્યો છે?
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડનના સલાહકાર અને જાણીતા સંક્રમક રોગ વિશેષજ્ઞ ડો. એન્થોની ફાઉસીએ ઓમિક્રોનને લઈને હાલમાં વાત કહી જે ભારતના સંદર્ભમાં હોવાનું જણાતુ હોવાનું જોવા મળ્યું. બેંગ્લુરુમાં એક સ્વાસ્થ્ય કાર્યકર્તા ઓમિક્રોન સંક્રમિત મળતા સરકારની ચિંતા વધી ગઈ છે. કેમ કે આ વ્યક્તિ વિદેશથી નહોંતો પાછો ફર્યો ન તો એવા લોકોના સંપર્કમાં આવ્યો. જેનાથી તેના સંક્રમણનું સૌથી મોટું કારણ એ હોઈ શકે છે કે આ વેરિએન્ટ પહેલા જ દેશમાં પહોંચી ચૂક્યો છે. મેડિકલ એક્સપર્ટ આ વાતને ફગાવી ન શકે.
રોજ વધી રહ્યા છે મામલા
વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજના કેમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રમુખ ડો. જુગલ કિશોરે કહ્યું કે બેંગલુરુમાં જે પ્રકારથી સ્થાનીય નાગરિકોમાં આ વેરિએન્ટની પુષ્ટિ થઈ છે. તે દર્શાવે છે કે દેશમાં તેની એન્ટ્રી થઈ ચૂકી છે. દેશમાં રોજના 10 હજાર નવા સંક્રમણ આવી રહ્યા છે. જો આમાંથી વધારેમાં વધારે મામલાની જીનોમ સિક્વેન્સિંગના આવે તો અનેક વધારે ઓમિક્રોન સંક્રમિત મળી શકે છે.
ફક્ત 5 ટકા જ જીનોમ સિક્વેન્સિંગ
એનસીડીસીના પ્રમુખ સુજીત કે સિંહ કહે છે કે જુલાઈની પહેલા સુધી દેશમાં અનેક વેરિએન્ટ આવી રહ્યા હતા. જેમાં આલ્ફાના 9 , બીટાના 0.44, ગામાના 0.004, ડેલ્ટાના 63 તથા એવાઈ-1-એવાઈ-25 સુધીના 17 અને કપ્પાના 11 ટકા મામલા નોંધવામાં આવ્યા હતા. એ બાદ ફક્ત ડેલ્ટા અને તેનાથી પરિવર્તિત થયેલા એવાઈના મામલા નોંધવામાં આવ્યા છે તથા પહેલી વાર ગુરુવારે 2 મામલા ઓમિક્રોનના મળ્યા છે. પરંતુ જેટલા પણ કોરોના સંક્રમિત મામલા મળ્યા છે. તેના 5 ટકાના જીનોમ સિક્વેન્સિંગ કરવાની જોગવાઈ છે. હકિકત એ છે કે આ તપાસ થઈ નથી શકતી. દર મહિને 3 લાખ મામલા દેશમાં આવી રહ્યા છે. આ પ્રકાર 15 નમૂનાની જીનોમ સિક્વેન્સિંગ પ્રતિ માહ થવી જોઈએ. પરંતુ આનાથી અડધી થાય છે.
ઓમિક્રોનની અસર દેશ પર વધારે નહીં થાય
આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે 2 મહત્વપૂર્ણ વાત કરી છે. એક ડેલ્ટાનું મોટા પાયે સંક્રમણ અને રસીકરણ વધવાના કારણે ઓમિક્રોનની અસર દેશ પર વધારે નહીં થાય. બીજું આના બચાવ માટે જે રણનીતિ ડેલ્ટા માટે અપનાવવામાં આવી છે. ત્યારે હજું પણ કામ આવશે. ઉલ્લેખનીય છે કે દેશમાં 85 ટકા વયસ્ત વસ્તીને વધુ એક લગભગ 50 ટકાના બે ડોઝ લાગી ચૂક્યા છે.