વિશ્વભરના વિવિધ દેશોમાંથી સતત કોવિડ-19ના નવા સ્ટ્રેન ઓમિક્રોનના કેસો સામે આવ્યા બાદ હવે ભારત સરકાર પણ તેને લઈને સતર્ક થઈ ગઈ છે.
નવા સ્ટ્રેનના કેસો સામે આવ્યા બાદ હવે મોદી સરકાર સતર્ક થઈ ગઈ
આ દેશોમાં મળી ચુક્યાં છે સંક્રમણના મામલાઓ
નવા વેરિયન્ટ સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે
નવા સ્ટ્રેનના કેસો સામે આવ્યા બાદ હવે મોદી સરકાર સતર્ક થઈ ગઈ
વિશ્વભરના વિવિધ દેશોમાંથી સતત કોવિડ-19ના નવા સ્ટ્રેન ઓમિક્રોનના કેસો સામે આવ્યા બાદ હવે ભારત સરકાર પણ તેને લઈને સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રની મોદી સરકારે કોરોના સંક્રમણનું ઉચ્ચ જોખમ ધરાવતા દેશોને છેલ્લા બે સપ્તાહમાં ભારત આવેલા એવા પ્રવાસીઓના સેમ્પલ લેવા જણાવ્યું છે જેઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કુલ 12 દેશો એવા છે જ્યાંથી હવે ભારત આવતા પ્રવાસીઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ પછી આ સેમ્પલને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્તમાનમાં ભારતે ઉચ્ચ જોખમ વળા દેશોની લીસ્ટમાં દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, ન્યૂઝીલેન્ડ, સિંગાપુર, હોંગકોંગ, ઈઝરાયલ, બ્રિટન સહિત યુરોપીય દેશોનો સમાવેશ કર્યો છે.
આ દેશોમાં મળી ચુક્યાં છે સંક્રમણના મામલાઓ
ઉલ્લેખનીય છે કે, કોવિડ -19 ના નવા સ્ટ્રેન ઓમિક્રોનનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકાથી નોંધાયો હતો. આ પછી, બોત્સ્વાના, બેલ્જિયમ, હોંગકોંગ અને ઇઝરાયેલમાંથી પણ તેના ચેપના કેસ નોંધાયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ કોવિડના આ નવા પ્રકાર અંગે ચિંતા વ્યક્ત કરી છે. WHOએ આ અંગે ચેતવણી જારી કરીને કહ્યું છે કે તે અત્યાર સુધીના કોરોનાના અન્ય પ્રકારો કરતાં વધુ ઝડપથી ફેલાઈ શકે છે.
નવા વેરિયન્ટ સંક્રમણ વધુ ઝડપી છે
ઓમિક્રોન પર અત્યાર સુધી કરવામાં આવેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે તેના સંક્રમણની ઝડપ ખૂબ જ ઝડપી છે. નિષ્ણાતોએ વાયરસના સંક્રમણની સંભાવના અંગે ચિંતા વ્યક્ત કરી છે. હાલમાં, અન્ય દેશોમાંથી આવતા મુસાફરો માટે RTPCR રિપોર્ટ લાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે અન્યથા જ્યારે કોઈ યાત્રીમાં કોઈપણ પ્રકારના લક્ષણો દેખાય તો તેનો ટેસ્ટ કરવામાં આવતો હતો. હવે સરકારે આમાં ફેરફાર કર્યો છે અને ભારત આવતા તમામ મુસાફરોને ટેસ્ટમાંથી પસાર થવું પડશે. એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, હાલમાં સેમ્પલ કલેક્શનથી લઈને સિક્વન્સિંગ ડેટા જનરેશન અને વેરિઅન્ટ આઈડેન્ટિફિકેશન સુધીનો ટર્નઅરાઉન્ડ સમય બે અઠવાડિયાનો છે. સમગ્ર ભારતમાં, આઠ પ્રયોગશાળાઓને પરીક્ષણ માટે નિયુક્ત કરવામાં આવી છે, અધિકારીએ જણાવ્યું હતું.