ઓમિક્રોનને લઈને હોંગકોંગના વૈજ્ઞાનકોની સ્ટડીમાં ઘણી ચોંકાવનારી અને રાહતરુપ બન્ને માહિતી સામે આવી છે.
ઓમિક્રોનને લઈને હોંગકોંગના વૈજ્ઞાનિકોનો સ્ટડી
ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા કરતા 70 ઘણું વધારે સંક્રમણ ફેલાવે છે
ઓમિક્રોનની અસર ઓછી
હોંગકોંગના વૈજ્ઞાનિકોએ કરેલા સ્ટડીમા એવી વાત સામે આવી છે ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા કરતા 70 ઘણું વધારે સંક્રમણ ફેલાવે છે પરંતુ તેની અસર ઘણી ઓછી છે.
ઓમિક્રોન ડેલ્ટા અને મૂળ કોવિડ-19 કરતા 70 ગણી ઝડપથી ચેપ લગાડે છે
દક્ષિણ આફ્રિકાના ડોકટરોના ડેટા પરના અભ્યાસ અનુસાર, ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટા અને મૂળ કોવિડ-19 સ્ટ્રેઇન કરતા લગભગ 70 ગણી ઝડપથી ચેપ લગાવે છે જોકે તેની તીવ્રતા ઘણી ઓછી છે.
ઓમિક્રોન ફેફસાને નહીં શ્વસનતંત્રને સૌથી વધારે અસર કરે છે
હોંગકોંગના વૈજ્ઞાનિકોની સ્ટડીમાં એવું પણ જાણવા મળ્યું કે ઓમિક્રોન ફેફસાને બદલે શ્વસનતંત્રના કોષોને 70 ઘણી ઝડપથી સંક્રમિત કરે છે. જોકે ફેફસાના કોષોમાં ઓમિક્રોનની અસર ઓરિજનલ સ્ટ્રેની તુલનામાં 10 ઘણી ઓછી જોવા મળી. વૈજ્ઞાનિકો હવે એવા તારણ પર પહોંચ્યાં છે કે ઓમિક્રોન ફેફસાને બદલે શ્વસનતંત્ર પર સૌથી વધારે અસર પાડે છે. કદાચ આને કારણે ઈઝરાયલ અને દક્ષિણ આફ્રિકામાં મળેલા ઓમિક્રોનના શરુઆતી કેસોમાં હળવી અસર જોઈ શકાતી હતી.
કોરોના વાયરસની ત્રીજી લહેર આવશે-ડોક્ટર અશોક શેઠ
ફોર્ટિસ ર્ટ ઈન્સ્ટીટ્યુટના અધ્યક્ષ અશોક શેઠનો દાવો છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર આવશે. તેમણે કહ્યું કે આને ટાળી શકાય નહીં. તેમણે સલાહ આપી છે કે લોકોની સલામતી માટે, બૂસ્ટર ડોઝને ધ્યાનમાં લેવાવો જોઈએ, ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓને.
ડોક્ટર અશોક શેઠે આપ્યા આ કારણો
કોરોનાની ત્રીજી લહેર કેમ આવશે જ તે અંગે સમજાવતા ડોક્ટરે શેઠે કહ્યું કે ઓમિક્રોન અત્યંત ચેપી છે અને તે રોગ પ્રતિકાર શક્તિથી બચી જાય છે. બીમારીની ગંભીરતા સંપૂર્ણ રીતે કોઈના શરીરની રોગપ્રતિકાર શક્તિ સાથે સંબંધિત છે. ભારત એક વિશાળ દેશ છે અને હોસ્પિટલમાં ઘણા દર્દીઓ ભરેલા પડ્યાં છે.