ઓમિક્રોનની સંખ્યા વધીને 21 થઈ ગઈ. ત્યારે કોરોનાના દૈનિક મામલામાં પણ ઉતાર ચઢાવ ચાલું છે. જાણો આજે કેટલા આવ્યા કેસ.
ઓમિક્રોનની સંખ્યા વધીને 21 થઈ ગઈ
ગત 24 કલાકમાં કોરોનાના 8 હજારથી વધારે મામલા
દિલ્હીમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો
ભારતમાં ઓમિક્રોનના મામલા વધી રહ્યા છે. ઓમિક્રોનની સંખ્યા વધીને 21 થઈ ગઈ. ત્યારે કોરોનાના દૈનિક મામલામાં પણ ઉતાર ચઢાવ ચાલું છે. ગત કેટલાક દિવસથી રોજના કેસ 10 હજારની નીચે આવી રહ્યા છે.
કોરોનાના કુલ મામલા 3 કરોડ 46 લાખને પાર
હાલ દેશમાં કુલ 3 કરોડ 46 લાખ 41 હજાર 561 મામલા સામે આવી ચૂક્યા છે. આ સાથે સાજા થનારાની સંખ્યા તેજીથી આગળ વધી રહ્યા છે. દેશમાં મહામારીથી મરનારાની સંખ્યા 4,73,555 થઈ ગઈ છે.
ગત 24 કલાકમાં કોરોનાના 8 હજારથી વધારે મામલા
ગત 24 કલાકમાં કોરોનાના 8306 નવા મામલા સામે આવ્યા છે. એટલે કે રવિવારની સરખામણીએ સોમવારે જારી આંકડામાં 500 દર્દીઓનો ઘટાડો આવ્યો છે. આ દરમિયાન 8834 લોકો સાજા થયા છે. રાહતની વાત એ છે કે કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા છે. 552 દિવસમાં સૌથી ઓછા એક્ટિવ કેસ રહ્યા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 98,416 છે. રવિવારે 8895 નવા મામલા સામે આવ્યા હતા. જ્યારે 6918 સાજા થયા હતા.
દિલ્હીમાં ઓમિક્રોનનો પહેલો કેસ
બીજી તરફ દેશમાં ઓમિક્રોનના મામલા સતત વધી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 21 મામલા આવી ચૂક્યા છે. જેને લઈને લોકોમાં ભયનો માહોલ છે. જો કે વિશેષજ્ઞોનું કહેવું છે કે ડરથી વધારે સતર્ક રહેવાની જરુર છે. ત્યારે બીજી તરફ કોરોનાના દૈનિક મામલા ગત કેટલાક સમયથી 10 હજારથી ઓછા મામલા રહ્યા હતા. જો કે દેશના અનેક રાજ્યોમાં કોરોનાન મામલા ધીરે ધીરે વધી રહ્યા છે. દિલ્હી, બંગાળ, મહારાષ્ટ્ર, ગોવા સહિત અન્ય પ્રદેશોમાં કોરોનાના દર્દીની સંખ્યા વધી રહી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોનાના નવા વેરિએન્ટ ‘ઓમિક્રોન’નો પહેલો મામલો સામે આવ્યો છે. સંક્રમિત દર્દી તાંજાનિયાથી પાછો ફર્યો હતો.