કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના કારણે આવેલ ત્રીજી લહેરમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સરેરાશ ઉંમર 44 વર્ષ હતી, જે અગાઉ 55 વર્ષ હતી.
કોરોનાને લઈને લઈને કેન્દ્ર સરકારે જાહેર કર્યો રિપોર્ટ
સરેરાશ 44 વયની ઉંમર ધરાવતા અને વેક્સિન ન લેનાર લોકો થયાં ઓમિક્રોન સંક્રમિત
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આપવામાં આવી જાણકારી
હોસ્પિટલમાં દાખલ 1520 દર્દીઓ પર કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે તેમાંથી મોટાભાગના લોકોને ગળામાં ખરાશની સમસ્યા હતી અને આ લહેરમાં દવાઓનો ઉપયોગ પહેલા કરતા ઓછો હતો. આ માહિતી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે આપી હતી.
મરનાર દર્દીઓની સરેરાશ ઉંમર 44 વર્ષની
ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ કોરોનાની ત્રીજી લહેરનું કારણ હતું. તેના સર્વે માટે 37 હોસ્પિટલોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. એવું જાણવા મળ્યું હતું કે દર્દીઓની સરેરાશ ઉંમર 44 વર્ષ હતી અને સૌથી સામાન્ય સમસ્યા અથવા લક્ષણને ગળામાં દુખાવો માનવામાં આવે છે. અગાઉની લહેરમાં, સંક્રમિત વસ્તીની સરેરાશ ઉંમર 55 વર્ષ હતી. આ નિષ્કર્ષ કોવિડ-19ની નેશનલ ક્લિનિકલ રજિસ્ટ્રીમાંથી આવ્યો છે, જેમાં 37 મેડિકલ સેન્ટરોમાં દાખલ દર્દીઓ વિશે ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો.
કયા સમયગાળામાં કરાયા રિપોર્ટ
ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું કે આ સર્વે માટે બે અલગ-અલગ સમયગાળો પસંદ કરવામાં આવ્યો છે. આમાં પ્રથમ સમયગાળો 15 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીનો હતો, જ્યારે ડેલ્ટા વેરિઅન્ટનું પ્રભુત્વ હોવાનું માનવામાં આવે છે. બીજો સમયગાળો 16 ડિસેમ્બરથી 17 જાન્યુઆરી સુધીનો હતો, જ્યારે એવું માનવામાં આવે છે કે ઓમિક્રોનના વધુ કેસ આવી રહ્યા હતા.
ત્રીજી લહેરમાં શ્વાસ સંબંધી જટિલતાઓ ઓછી રહી
મહાનિર્દેશક બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે સર્વેમાં સામે આવ્યું છે કે ત્રીજી વેવ દરમિયાન દવાઓનો ખૂબ ઓછો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે, ગંભીર શ્વસન રોગ, કિડની ફેલ્યોર અને અન્ય રોગોથી સંબંધિત મુશ્કેલીઓ પણ ઓછી હતી. ડેટાના વિશ્લેષણ મુજબ, રસીકરણ ધરાવતા લોકોમાં મૃત્યુ દર 10 ટકા હતો અને રસીકરણ વિનાના લોકોમાં તે 22 ટકા હતો. તેમણે કહ્યું કે રસીકરણ કરાયેલા 10માંથી 9 લોકો પહેલાથી જ ઘણી બીમારીઓથી પીડિત હતા, જેનું મૃત્યુ થયું હતું. રસીકરણ વિનાના કેસોમાં, 83 ટકા લોકો પહેલેથી જ ઘણા રોગોથી પીડાતા હતા. તેમણે કહ્યું કે વેન્ટિલેશનની જરૂરિયાત રસીકરણ વિનાના લોકો (11.2 ટકા) ની તુલનામાં રસી અપાવનારાઓમાં (5.4 ટકા) ઘણી ઓછી હતી.