WHOના ચીફે કહ્યું છે કે, દુનિયાભરમાં ફેલાયેલી આ મહામારીને હરાવી શકાય છે. પરંતુ તેના માટે તમામ દેશોએ ભેગા મળીને કેટલી ખાસ વાતો પર ધ્યાન રાખવું પડશે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.94 લાખ નવા કેસો સામે આવ્યાં છે
WHOના ચીફે જણાવ્યું કેવી રીતે ખતમ થઈ શકે છે મહામારી
2022ના મધ્ય સુધી દુનિયામાં 70 ટકા લોકોનું રસીકરણનું લક્ષ્ય છે
દેશમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણનો દર 11.05 ટકા સુધી વધી ગયો છે.
કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોન સામે આવ્યા બાદ સંક્રમણના મામલાઓ દુનિયાભરમાં ચિંતાજનક રૂપથી વધી રહ્યાં છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1,94,720 લાખ કેસો સામે આવ્યા છે. અને સંક્રમણનો દર 11.05 ટકા સુધી વધી ગયો છે. અને જો ઓમિક્રોનની વાત કરીએ તો તેના પણ દેશમાં 4868 કેસો સામે આવી ચુક્યા છે. કોરોનાની મહામારી નવી લહેર વચ્ચે વિશ્વ સ્વાસ્થય સંગઠને એક વખત ફરીથી દુનિયાના તમામ દેશો સુધી વેક્સિન પહોંચાડવા પર જોર મુકવામાં આવ્યું છે.
We can end the #COVID19 pandemic but governments and manufacturers must:
-Increase vaccine supplies to countries at risk with low coverage
-Ensure the resources needed to get jabs in arms
WHOના ચીફે જણાવ્યું કેવી રીતે ખતમ થઈ શકે છે મહામારી
WHOના પ્રમુખે તાજેતરમાં જણાવ્યું હતું કે, આ મહામારીને ખતમ કરવું સંભવ છે. પરંતુ તેના માટે કેટલાક સખત પગલા ઉઠવવા પડશે. WHOના ચીફ ટેડ્રોસ એડનોમે કહ્યું કે, નિશ્ચિત રૂપથી કોરોનાને હરાવી શકાય છે. પરંતુ દુનિયા ભરની તમામ સરકાર અને વેક્સિન ઉત્પાદકોએ બે વસ્તુઓ લઈને આશ્વત કરવું પડશે જેમાં પહેલું એવા દેશો જ્યાં વેક્સિન નથી પહોંચી રહી પરંતુ કોરોનાનું જોખમ છે. તેવા દેશોમાં વેક્સિનની સપ્લાય વધારવામાં આવે અને બીજું એવા લોકોને વેક્સિન આપવા માટે આવશ્યક સંસાધનોને પર્યાપ્ત પૂર્તિ કરવામાં આવે. આપણે ત્યાં સુધી સુરક્ષીત નથી જ્યાં સુધી કોઈ તમામ લોકો સુરક્ષીત નથી.
વેક્સિનની અસમાનતાને સમાપ્ત કરીએ તો આપણે કોવીડ-19ને હરાવી શકાય
WHOના પ્રમુખે 2021માં પોતાના અંતિમ સંબોધનમાં પણ કહ્યું હતું કે, કોઈ પણ દેશ આ મહામારીથી બચી શક્યું નથી. આપણી પાસે કોરોનાને રોકવા માટે અને તેનો ઉપચાર માટે ધણાં નવા ઉપકરણ છે. વેક્સિનની અસમાનતા જેટલી લાંબી રહેશે વિકસિત વાયરસનું જોખમ પણ એટલું જ રહેશે જેને આપણે રોકી નહી શકે. જો આપણે વેક્સિનની અસમાનતાને સમાપ્ત કરીએ છીએ તો આપણે મહામારીને પણ સમાપ્ત કરી દેવાશે.
2022ના મધ્ય સુધી દુનિયામાં 70 ટકા લોકોનું રસીકરણનું લક્ષ્ય છે
WHOના ચીફે આગળ કહ્યું હતું કે, કોવીડ-19ના મહામારીના ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. જો આપણે હળી મળીને તેનાથી લડીએ છીએ તો મને વિશ્વાસ છે કે, આ વર્ષે આપણે કોરોનાની આ મહામારીને ખત્મ કરી દેશે. તેમણે આગળ કહ્યું કે, 2022ના મધ્ય સુધી દુનિયાના તમામ દેશોમાં 70 ટકા વેક્સિન લગાવવાનો વૈશ્વિક લક્ષ્ય સુધી પહોંચવા માટે તમામ દેશોએ સાથે મળીને કામ કરવાની આવશ્યક્તા છે.