ભારતમાં હવે દૈનિક ધોરણે ઓમિક્રોનના કેસ આવવા લાગ્યા છે. રવિવારે દેશમાં ઓમિક્રોનના વધુ 9 કેસ નોંધાયા હતા.
ભારતમાં હવે દૈનિક ધોરણે ઓમિક્રોનના કેસ આવવા લાગ્યા
રવિવારે વધુ 9 કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં 6, ગુજરાતમાં 3
ભારતમાં 12 રાજ્યોમાં ઓમિક્રોનના કેસ પ્રતિદિન આવવા લાગ્યા છે. રવિવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 4 કેસ આવ્યાં તેમાં 4 કેસ મુંબઈ એરપોર્ટ પર તપાસ દરમિયાન સામે આવ્યાં તો પુણે અને પિંપરી ચિંચવાડમાં એક-એક ઓમિક્રોન પોઝિટીવ મળ્યાં છે. દેશમા સૌથી વધારે ઓમિક્રોન સંક્રમિત રાજ્ય મહારાષ્ટ્ર છે જ્યાં 54 કેસ છે. દેશમાં અત્યાર સુધી મળેલા ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા 153 થઈ ગઈ છે.
ગુજરાતમાં વિદેશથી પાછા આવેલા 4 લોકોમાં ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ થઈ
ગુજરાતમાં વિદેશથી પાછા આવેલા 4લોકોમાં ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ થઈ છે. રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતની સંખ્યા 10 થઈ છે. 2 સંક્રમિત બ્રિટનમાંથી પાછા આવ્યા હતા તો 1 સંક્રમિત દુબઈથી પરત આવી હતી. બ્રિટનમાંથી આવેલા સંક્રમિતોમાં 45 વર્ષનો એનઆરઆઈ અને 15 વર્ષનો એક છોકરો સામેલ છે.
લોકોની બેદરકારી નોતરશે મોટી આફત
ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી ઓમિક્રોનના દૈનિક કેસ આવી રહ્યાં છે અને જે કેસ આવી રહ્યાં છે તેના દર્દીઓ મોટાભાગે વિદેશથી આવેલા છે. એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓનું કડક ચેકિંગ કરાતું હોવા છતાં પણ કેસોમાં રાફડો ફાટ્યો છે. તંત્ર અને લોકોની બેદરકારી મોટી આફત નોતરી શકે છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 155 કેસો નોંધાયા છે. આ સાથે જ ભારત બેવડા ખતરાનો સામોન કરી રહ્યું છે. પહેલો ખતરો સરકારની નીતિઓનો છે. અને બીજો ખતરો પ્રજાની બેદરકારીનો છે. નવું વર્ષ નવી પરેશાનીઓ લાવી શકે છે.વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) એવી જાણકારી આપી કે ઓમિક્રોન વેરિયન્ટ હવે કમ્યુનિટી ટ્રાન્સમિશન ધારણ કર્યું છે એટલે કે હવે સ્થાનિક સ્તરે ઓમિક્રોન સંક્રમણ શરુ થયું છે. વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું કે એ વાતનો પુરાવો મળ્યો છે કે ડેલ્ટાની તુલનામાં ઓમિક્રોન ઘણી ઝડપથી ફેલાયો છે.
શું છે કમ્યુનિટી ટ્રાન્સમિશન
કમ્યુનિટી ટ્રાન્સમિશન એટલે સ્થાનિક સ્તરનું સંક્રમણ.આમાં ઓમિક્રોનું હવે સામુદાયિક સ્તરે સંક્રમણ શરુ થયું છે. તેને કારણે કેસોમાં બમણો વધારો થયો છે.