દુનિયામાં કોરોના વાયરસ નવા વેરિયન્ટ ઓમિક્રોને દહેશત મચાવી છે. ત્યારે બ્રિટિશ વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો દાવો કર્યો છે.
ઓમિક્રોનની દહેશત વચ્ચે આવ્યા રાહતના સમાચાર
બ્રિટિશ વૈજ્ઞાનિકોએ દવા શોધી લીધી હોવાનો કર્યો દાવો
સમગ્ર દુનિયાની નજર કંપનીના દાવા પર
વૈજ્ઞાનિકોએ કરેલા દાવા પ્રમાણે તેમની સોટ્રોવિમૈબ દવા ઓમિક્રોનના દરેક મ્યૂટેશન વિરૂદ્ધ અસરકારક સાબિત થઈ છે. આ દવાને ગ્લેક્સોસ્મિથક્લાઈન(GSK)એ પાર્ટનર વીર (VIR)બાયોટેકનોલોજીની સાથે મળીને વિકસિત કરવામાં આવેલ છે. હવે આ દવા ઓમિક્રોન વેરયન્ટ સામે અસરદાર સાબિત થશે.
ઓમિક્રોન સામે પણ અસરકારક
વૈજ્ઞાનિકો દ્વારા જાહેર કરવામાં આવેલ દાવો કર્યો છે કે, ઓમિક્રોનના જે 37 મ્યૂટેશન છે, તેના વિરૂદ્ધ તેમની દવા સોટ્રોવિમૈબે પ્રભાવી રીતે કામ કર્યું છે. ગયા અઠવાડિયે પણ પ્રી ક્લિનિકલ ટેસ્ટિંગ કરવામાં આવ્યા બાદ કહેવામાં આવ્યું હતું કે, સોટ્રોવિમેબ દવા ઓમિક્રોન વિરૂદ્ધ કામ કરે છે. કંપનીએ આ વાત પર ભાર મુક્યો છે કે, આ વેરિયન્ટ વિરૂદ્ધ પ્રભાવી રીતે કામ કરે છે જેનો ઉલ્લેખ WHO દ્વારા પણ કરવામાં આવ્યો છે.
કંપનીના દાવા પર સમગ્ર વિશ્વની નજર
કંપનીએ જાણકારી આપી છે કે, તેમની આ એક દવા મોનોક્લોનલ એન્ટીબોડી છે. આ માનવ દ્વારા પહેલાથી બનાવવામાં આવેલ પ્રાકૃતિક એન્ટીબોડી પર આધારિત ગણવામાં આવે છે. આ દવા અન્ય દવાઓના મુકાબલે વધુ કારગર સાબિત થયેલી છે. જો કે, કંપની દ્વારા કરવામાં આવેલ આ દાવા પર સમગ્ર વિશ્વની નજર છે અને આશા રાખીને બેઠા છે.
અત્યાર સુધીમાં 21 લોકો કોરોનાના નવા વેરિયન્ટની ચપેટમાં આવ્યા
તમને જણાવી દઈએ કે,દેશમાં છેલ્લા એક સપ્તાહમાં ઓમિક્રોનના 17 કેસ નોંધાયા હતાં, જે બાદ હવે કુલ સંખ્યા વધીને 21 થઈ ગઈ છે. રવિવારે નોંધાયેલા 17 કેસમાંથી 9 રાજસ્થાનની રાજધાની જયપુરમાં, 7 મહારાષ્ટ્રના પુણે અને 1 દિલ્હીમાં નોંધાયા છે. રાજસ્થાનના મેડિકલ સેક્રેટરી વૈભવ ગલેરિયાએ કહ્યું હતું કે, સંક્રમિત લોકોની જીનોમ સિક્વન્સિંગથી પુષ્ટિ થઈ છે કે 9 લોકો કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. બીજી બાજુ મહારાષ્ટ્રના આરોગ્ય અધિકારીએ પુષ્ટિ કરી છે કે પૂણે જિલ્લામાં 7 લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા.
શું તે હવે બૂસ્ટર ડોઝ લાગશે?
સોમવારે નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગૃપની એક બેઠક મળી હતી. જેમાં બાળકોના રસીકરણની સાથે સાથે કોરોનાની રસીના બૂસ્ટર ડોઝ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બાળકોના રસીકરણની સાથે સાથે કોરોના રસીના બૂસ્ટર ડોઝ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જો કે હજુ સુધી બંને વિષયો પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વડાપ્રધાને 50 ટકા વસ્તીને બંને ડોઝ મળવાની ખુશીમાં ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે આ ગતિ જાળવી રાખો. બીજી બાજુ, તેમણે કહ્યું, "કોવિડ -19 સંબંધિત તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરો અને સામાજિક અંતર જાળવો." નોંધનીય છે કે કોવિડ -19 સામે દેશવ્યાપી રસીકરણ અભિયાન આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું હતું.