યુરોપ અને એશિયાના દેશોમાં ઓમિક્રોનનો કેર ચાલુ થયો છે.
યુરોપ અને એશિયામાં ઓમિક્રોનથી તબાહી
80 ટકા લોકોમાં દેખાવા લાગ્યું અજીબ લક્ષણ
ભારતમાં પણ હવે મંડરાવા લાગ્યો ચોથી લહેરનો ખતરો
કોરોના મહામારી હજુ પૂરી થઈ હોવાનું લાગતું નથી. ત્રીજી લહેર માટે જવાબદાર ઓમિક્રોન વેરિયન્ટ ફરી એક વાર ઘાતક બન્યો છે. આ વખતે ઓમિક્રોન તેના પેટા વેરિયન્ટની સાથે પાછો આવ્યો છે. ઓમિક્રોન સબ વેરિયન્ટ બીએ.2 યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયામાં તબાહી મચાવી રહ્યું છે. કોરોના સામે ઝીરો પોલિસી લાગુ પાડનાર ચીનની હાલત પણ ખરાબ થઈ છે.
80 ટકા લોકોમાં દેખાયું આ લક્ષણ
કોરોના પીડિત 80 ટકા લોકોમાં નાકમાંથી પાણી પડવું એવું અજીબ લક્ષણ જોવા મળ્યું છે. આ પહેલા કોરોના દર્દીઓમાં આવું લક્ષણ જોવા મળ્યું નહોતું. ઓમિક્રોન વેરિયન્ટ નાકથી પ્રભાવિત કરે છે.
ઓમિક્રોનના બીજા લક્ષણો
ગળામાં ખારાશ
માથાનો દુખાવો
સતત ખાંસી
ગળુ બેસી જવું
રાતે પરસેવો થવો અને ઠંડી લાગવી
થાક અને શરીર તથા સાંધામાં દુખાવો
ચોથી લહેર આવવાની શક્યતા
ચીન અને યુરોપિય દેશોમાં કોરોના ફરીથી ઝડપથી વધી રહ્યો છે, જેને લઈને હવે ચોથી લહેર આશંકા વ્યક્ત કરાઈ રહી છે. કોરોનાના વધતાં કેસો મામલે ઓમિક્રોનના સબવેરિએન્ટ કારણ હોવાનું માનવામાં આવે છે. ઓમિક્રોનના સબ વેરિએન્ટ BA2 દક્ષિણ કોરિયામાં કોરોનાના કેસોમાં ભારે વધારો થયો છે. તો વળી બ્રિટેન અને કેટલાય અન્ય યુરોપિય દેશોમાં એક જ દિવસમાં 6 લાખથી વધારે કેસો સામે આવ્યા છે. જો કે, ભારતમાં હાલમાં નવી લહેર આવવાને લઈને ભારતીય નિષ્ણાંતો હાલમાં ચિંતિત નથી.
ઓમિક્રોનના 50થી વધારે મ્યૂટેશન
કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટના 50થી વધારે મ્યૂટેશન થઈ ચુક્યા છે. તેનાથી દુનિયાભરમાં ખળભળાટ મચેલો હતો, જ્યારે નવેમ્બર 2021માં પહેલી વાર દક્ષિણ આફ્રિકામનાં તેની જાણ થઈ હતી. આ વેરિએન્ટ બહું વધારે સંક્રામક હતો. આ જ કારણે હોસ્પિટલમાં ભરતી થનારા લોકોની સંખ્યામાં વધારા સાથે મોટી સંખ્યામાં લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો. એક્સપર્ટ કહે છે કે, વેક્સિનેશનના કારણે આ વેરિએન્ટ સ્થિતિમાં ખૂબ જ સુધારો થયો.