omicron cases continue to rise in delhi infections increased more than 82 times from second wave 3 times rise in hospitalisation govt data asyptomatic home isolation
168 રોગીઓને ઓક્સિજન સપોર્ટની જરુર છે અને 14 વેન્ટિલેટર પર
નવા સંક્રમણનો દર બીજી લહેર બાદ નીચલા સ્તરથી 82 ગણો વધારે
દિલ્હીમાં કોરોના વાયરસના મામલા હવે આતંક ફેલાવી રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા 3 ગણી વધી ગઈ છે. જ્યારે નવા સંક્રમણનો દર બીજી લહેર બાદ નીચલા સ્તરથી 82 ગણો વધારે છે. આ જાણકારી એક ન્યૂઝ પેપરના વિશ્લેષણમાં સામે આવી છે.
નવેમ્બરના છેલ્લા અઠવાડિયે હોસ્પિટલના દર્દીની સંખ્યા ઘટીને 128 થઈ હતી જો કે હાલ 420
દિલ્હી સરકાર દ્વારા 3 જાન્યુઆરીએ જારી કરવામાં આવેલા સ્વાસ્થ્ય બુલેટિન અનુસાર શહેરમાં કોરોનાના માટે ઉપલબ્ધ 9,029 હોસ્પિટલના બેડમાંથી ફક્ત 420 પર દર્દી હતા. સરકારના ડેટા મુજબ ભારતમાં બીજી લહેર(અને દિલ્હીમાં ચોથી)ના પીક બાદ 28 નવેમ્બર 2021ના ખતમ થયેલા અઠવાડિયામાં દિલ્હીમાં દાખલ થયેલા દર્દીની સંખ્યા ઘટીને 128 થઈ ગઈ હતી. જેનાથી ખબર પડે છે કે બીજી લહેરની સમાપ્તિની સરખામણીમાં હાલ દાખલ દર્દીની સંખ્યા 3.3 ગણી વધારે છે.
168 રોગીઓને ઓક્સિજન સપોર્ટની જરુર છે અને 14 વેન્ટિલેટર પર
દિલ્હીમાં હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યાને જોતા ખબર પડે છે કે દાખલ દર્દી પ્રકારના છે. પહેલા જેમનામાં હળવા લક્ષ્ણો જોવા મળી રહ્યા છે અને બીજી જે શંકાસ્પદ રોગી છે. વરિષ્ઠ સરકારી અધિકારીઓના જણાવ્યાનુસાર વર્તમાનમાં અનેક ઓમિક્રોન દર્દીને ફરજિયાત હોમ આઈસોલેશનનું પાલન કરવાનું રહેશે કેમ કે સંક્રમણના ઉચ્ચ સંક્રમણ દર જોઈ શકાય છે. આ દર્દીઓ માટે હોમ આઈસોલેશનની નીતિ હાલ તૈયાર નથી કરવામાં આવી.
એનો મતલબ છે કે હોસ્પિટલમમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ એક મોટી સંખ્યામાં હળવા લક્ષ્ણો વાળાને હોસ્પિટલમાં દાખલ થવાની જરુર નથી. સરકારી સ્વાસ્થ્ય બુલેટિન અનુસાર 168 રોગીઓને ઓક્સિજન સપોર્ટની જરુર છે અને 14 વેન્ટિલેટર પર છે.
ઓમિક્રોન વેરિએન્ટના પોઝિટિવ દર્દીમાં હળવા લક્ષણ
આઈએમએના પૂર્વ અધ્યક્ષ ડો. જેએ જયલાલે કહ્યું કે બિલકુલ અન્ય દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટના પોઝિટિવ દર્દીમાં હળવા લક્ષણ જોવા મળી રહ્યા છે. લોકોને સતર્ક રહેવા અને કોવિડ ઉપયુક્ત વ્યવહારના પાલનની જરુર છે. તેમણે કહ્યું કે વૈશ્વિક ટ્રેંડ એ છે કે રસી લેનારા લોકોમાં હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા તે લોકોથી ઓછી છે જેમણે રસી નથી લીધી. એટલા માટે આપણે બેદરકારી ન વર્તવી જોઈએ ને રસી લેવી જોઈએ.
આ વેરિએન્ટ બહું વધારે તેજીથી ફેલાઈ રહ્યો છે
દિલ્હી સરકારે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે જ્યારે મામલા હજું વધારે વધશે તો આપણે ફક્ત ગંભીર મામલા અને ઉચ્ચ જોખમો વાળા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. જો કે આ વેરિએન્ટ બહું વધારે તેજીથી ફેલાઈ રહ્યો છે. તેવામાં હોમ આઈસોલેશન માટે કડક દિશા નિર્દેશોની જરુર રહેશે જેથી પરિવાર અને પડોશ માટે અન્ય સભ્યો સંક્રમિત ન થાય.