દેશમાં સતત કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનનો કહેર વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 22 રાજ્યો અને સંઘ પ્રદેશોમાં ઓમિક્રોન વેરિયન્ટે પગ પેસારો કરી દીધો છે.
દેશમાં વધી રહ્યો છે નવા વેરિયન્ટનો ખતરો
દેશના 50 ટકા કેસો દિલ્લી અને મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં ઓમિક્રોનના 97 કેસ પોઝિટિવ
India reports 13,154 new COVID19 cases in the last 24 hours; Omicron case tally rises to 961 with 263 cases in Delhi and 252 in Maharashtra pic.twitter.com/LEea2AP2UO
કોરોનાના દૈનિક કેસોની સંખ્યામાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો
ઓમિક્રોનના ભય અને કોરોનાના ત્રીજી લહેર વચ્ચે દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોની સંખ્યામાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, દેશભરમાં 13,154 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જે બુધવાર કરતાં 43 ટકા વધુ છે.સૌથી વધુ કેસ નોંધાયેલા ટોચના પાંચ રાજ્યોમાં 3,900 કેસ સાથે મહારાષ્ટ્ર છે, ત્યારબાદ કેરળમાં 2,846 કેસ, પશ્ચિમ બંગાળમાં 1,089 કેસ, દિલ્હીમાં 923 કેસ અને તમિલનાડુમાં 739 કેસ છે.
દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે.
દેશમાં સતત કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનનો કહેર વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 22 રાજ્યો અને સંઘ પ્રદેશોમાં ઓમિક્રોન વેરિયન્ટે પગ પેસારો કરી દીધો છે. હાલ ઓમિક્રોનના દેશમાં 961 કેસો પોઝિટિવ આવ્યા છે. જેમાં સૌથી વધુ દિલ્હીમાં 263 કેસ નોધાય છે. જ્યારે બીજા નંબરે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 252 કેસો નોંધાયા છે. તેમજ ઓમિક્રોનના મામલે ગુજરાત 97 કેસ સાથે ત્રીજા નંબરે છે. જ્યારે ઓમિક્રોનથી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 320 છે. આમ ઓમિક્રોનનો રિકવરી રેટ આશરે 33 ટકાની આસપાસ છે.