દુનિયામાં કોરોનાનું રહસ્ય ગહેરાઈ રહ્યું છે. હવે બે મહામારી સાથે સાથે ચાલી રહી હોવાની વાત થવા લાગી છે. ભારતના મશહૂર વાયરોલોજિસ્ટે દાવો કર્યો છે. ICMRના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા વાયરોલોજિસ્ટ ટી.જૈકબ જોને કહ્યું કે ઓમિક્રોન કોરોના મહામારીથી અલગ છે અને તેથી એવું માની લેવું જોઈએ કે હાલમાં બે મહામારી સાથે સાથે ચાલી રહી છે. જોને કહ્યું કે ઓમિક્રોન વુહાન-ડી 614 જી, આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, કપ્પા અથવા મ્યૂથી પેદા થયેલો નથી તે નક્કી છે. તેમણે કહ્યું હતું કે, ઓમિક્રોનનું મૂળ જાણી શકાયું નથી, પરંતુ વુહાન-ડી614જીથી થોડો ફર્ક છે.
કોરોનાનો લોકોના શ્વસન તંત્ર પર હુમલો, ઓમિક્રોન માત્ર ગળા સુધી સીમિત
ડો. જેકોબે જણાવ્યું હતું કે કોરોના લોકોના શ્વસન તંત્ર પર હુમલો કરી રહ્યો છે બીજી તરફ ઓમિક્રોન માત્ર ગળાના વિસ્તારમાં જ અટકી જાય છે. તેમણે કોવિડની ત્રીજી લહેર અંગે જણાવ્યું કે મેટ્રો શહેરોમાં તેની અસર વધુ દેખાશે અને ચેપના કેસ જેટલી ઝડપથી વધશે તેટલી ઝડપથી ઘટી જશે.
ભારતમાં ત્રીજી લહેર પીક પર આવી
કેટલાક સ્થળોએ કેસ ઓછા થવા લાગ્યા હોવાથી ત્રીજી લહેર ચરમસીમાએ પહોંચી ગઈ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા જોને કહ્યું હતું કે પ્રથમ સંક્રમણ મેટ્રોપોલિટન શહેરોમાં શરૂ થયું છે અને ત્યાંથી સમાપ્ત થશે. તેમણે કહ્યું કે, બધા માટે આ આંતરરાષ્ટ્રીય મહામારી છે. કોરોનાનો વધારે ચેપી ઓમિક્રોને કારણે ભારતમાં ત્રીજી લહેર આવી છે તેવું તેમનું કહેવું છે.