સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા દિશાનિર્દેશોમાં રાજ્યોને કહેવાયું કે ઓમિક્રોન કોરોનાના જુના ડેલ્ટા વેરિયન્ટની તુલનાએ 3 ગણો ઝડપી ફેલાય છે. આને કારણે કન્ટેનમેન્ટ ઝોન જેવા ઉપાયો અપનાવવાનું શરુ કરી દેવું જોઈએ.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યોને લખ્યો પત્ર
મંગળવારે સાંજે રાજ્યોને લખાયેલા લેટરમાં કહેવાયું કે ઓમિક્રોનને પહોંચી વળવા વોર રુમ શરુ કરી દેવા જોઈએ.હાલમાં દેશમાં ઓમિક્રોન અને ડેલ્ટા બન્ને વેરિયન્ટ મોજૂદ છે. તેથી લોકલ અને ડિસ્ટ્રીક્ટ લેવલ પર વધારે ધ્યાન આપવું જોઈએ અને તત્કાળ કાર્યવાહી કરવી જોઈએ. કેન્દ્ર સરકારે ડેટા એનાલિસિસ પર ભાર મૂકતા કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને ડિસ્ટ્રીક્ટ લેવલ પર સંક્રમણ રોકવાના ઉપાય કરવા જોઈએ.
Union Health Secy Rajesh Bhushan writes to all States/UTs: "Omicron is at least 3 times more transmissible than Delta. Hence, even greater foresight, data analysis, dynamic decision making & strict & prompt containment action are required at the local & district level"
(File Pic) pic.twitter.com/aUjZkemqeZ
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને આપ્યા મોટા આદેશ
- કોરોનાના જુના ડેલ્ટા વેરિયન્ટની તુલનાએ ઓમિક્રોન 3 ગણો ઝડપી ચેપી
- કન્ટેનમેન્ટ ઝોન જેવા ઉપાયો અપનાવવાનું શરુ કરો
- જરુર પડે તો કડક નિયમ લાગુ પાડો
- ઓમિક્રોનને પહોંચી વળવા વોર રુમ શરુ કરવા જોઈએ
- લોકલ અને ડિસ્ટ્રીક્ટ લેવલ પર વધારે ધ્યાન આપવું જોઈએ
- ડિસ્ટ્રીક્ટ લેવલ પર સંક્રમણ રોકવાના ઉપાય
- જરુર પડે નાઈટ કર્ફ્યુ અને બીજા કડક પ્રતિબંધો લાગુ પાડવાને રાજ્યોને તાકીદ
લેટરમાં નાઈટ કર્ફ્યુ અને કડક નિયમ લાગુ પાડવાની સલાહ
હેલ્થ સેક્રેટરી રાજેશ ભુષણ વતી પાઠવાયેલા લેટરમાં જરુર પડે નાઈટ કર્ફ્યુ, ભીડે ભેગી કરવા પર પ્રતિબંધ, ઓફિસ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ પર પ્રતિબંધ જેવા કેટલાક બીજા સૂચનો પણ સામેલ છે. હોસ્ટિલમાં બેડ, એમ્બ્યુલન્સ, ઓક્સિજન ઈક્વીપમેન્ટ અને દવાઓ માટે ઈમરજન્સી ફંડનું પણ સૂચન કરાયું છે.
દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના 200થી વધુ કેસ
દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના 202 કેસ છે. સૌથી વધારે પ્રભાવિત રાજ્યો દિલ્હી અને મહારાષ્ટ્ર છે. બન્ને રાજ્યોમાં 54-54 કેસ છે. ઓડિશામાં મંગળવારે ઓમિક્રોનના 2 કેસ મળ્યા હતા.
દેશમાં ફેલાઈ રહેલા ઓમિક્રોનના ખતરાની વચ્ચે ભારતના કેટલાક રાજ્યોમાં કોરોનાના કડક પ્રતિબંધો લગાડવાનું શરુ થયું છે. મહારાષ્ટ્રમાં ફરી એકવાર નવા કોરોના વેરિએન્ટની અસર દેખાઈ રહી છે. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રે ક્રિસમસ, નવા વર્ષની દૃષ્ટિએ પ્રતિબંધોની જાહેરાત કરી દીધી છે. બીએમસીએ મંગળવારે નવા કડક આદેશો જારી કર્યા હતા.
મુંબઈમાં પ્રતિબંધ
બીએમસી દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, જો 200થી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવે તો હવે શહેરના પક્ષના આયોજકો માટે સત્તાવાળાઓ પાસેથી લેખિત પરવાનગી લેવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત ખુલ્લી જગ્યાઓમાં 6 ફૂટનું અંતર જાળવવું ફરજિયાત રહેશે બીએમસીએ તેના નિર્દેશોમાં જણાવ્યું હતું કે બંધ સ્થળોએ ૬×૬ ફૂટનું અંતર કડક રીતે જાળવવું પડશે અને લોકોને ફક્ત ૫૦ ટકા ક્ષમતા સુધી હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે. બીએમસીનો આદેશ 20 ડિસેમ્બરથી અમલી બન્યો છે અને આગળના આદેશ સુધી ચાલુ રહેશે.