સામાન્યતઃ આપણાં દેશમાં આપણે જોઇએ છીએ કે જાતિવાદ આજે પણ આપણાં દેશમાં ભરપૂર રીતે વ્યાપી રહ્યો છે. ત્યારે એમ કહી શકાય કે આ જાતિવાદ એ દેશને ખોખલો કરી શકે છે. ત્યારે આવી જાતિવાદને જ લઇ એક વિચિત્ર ઘટના સામે આવી છે.
જો કે આપણો દેશ હાલમાં પ્રગતિની રાહ પર જઇ રહ્યો છે. ત્યારે કેટલાંક એવાં લોકો પણ હાલમાં છે કે જેને કારણોસર આપણો દેશ જાતિવાદમાં ખોખલો થઇ રહ્યો છે. હકીકતમાં આ ઘટના છે તમિલનાડુનાં વેલ્લોરની છે કે જ્યાં એક દલિતનાં મૃતદેહને અગડી જાતિનાં લોકોએ તે મૃતદેહને પોતાના જમાનથી થઇને સ્મશાન સુધી ના જવા દીધો.
Shocking, painful and disheartening..
Vellore - Body lowered by ropes from a bridge after access to graveyard denied to Dalits..
Entry points were encroached by Caste Hindus who refused to give way through a farm land for a dead body.. pic.twitter.com/Kw0EmEUJHg
જ્યાર બાદ આ શવને સ્મશાન પહોંચાડવા માટે એક નદી પર બનેલ 20 ફુટ ઉંચા પુલથી દોરડાંથી બાંધીને નીચે લાવવામાં આવ્યો. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ મામલો સામે આવ્યાં બાદ સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થઇ ગયો છે. વેલ્લોર પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.