હિન્દુ ધર્મમાં મૃત્યુ બાદ અગ્નિ સંસ્કાર કરે છે તો મુસ્લિમમાં અંતિમ સંસ્કાર કબ્રસ્તાનમાં કરવામાં આવે છે. અંતિમક્રિયા માટે દરેક ગામ શહેરમાં સ્મશાન ગૃહ અને કબ્રસ્તાન બનેલા હોય છે.
રહેણાક વિસ્તારથી થોડી દૂર આ જગ્યાઓ બનેલી હોય છે. આવા સ્થાન પર લોકો જવાનું પણ ટાળે છે વળી કેટલાક લોકો તો આ જગ્યાઓએ જવાથી ડરે પણ છે. પરંતુ શું તમે કયારેય સાંભળ્યું કે કોઇ ઘરમાં જ અંતિમ સંસ્કાર કરે? હા આપણા જ દેશમાં એક ગામ એવું છે જ્યાં વ્યક્તિના મૃત્યું બાદ તેના અંતિમ સંસ્કાર પોતાના ઘરમાં જ કરવામાં આવે છે.
આજે અમે તમને જણાવશું એક એવા સમુદાય વિશે જે લોકો અંતિમ વિધિ ઘરમાં જ કરે છે. છત્તીસગઢના માનિકપુરીમાં પનિકા સમુદાય વસે છે. આ સમુદાયના લોકો એક વિચિત્ર પરંપરાનું પાલન કરે છે. અહીં લોકો પોતાના ઘરમાં જ મૃત પરીજનની સમાધિ બનાવે છે.
અહીં ઘરના વડિલ હોય બાળકો હોય કે મહિલાઓ તેમની સમાધિ ઘરના આંગણામાં જ બનાવે છે એટલે કે તેઓ પ્રિયજનને ઘરમાં જ દફન કરી દે છે. આ સમાજના લોકો પોતાના સ્વજનનું મોત થાય એટલે તેના મૃતદેહને અન્ય સ્થાન પર લઈ જઈ અને તેને દફનાવતા નથી તેઓ આ પરંપરાથી સાવ અલગ પ્રથાનું પાલન કરે છે.
તેઓ ઘરના આંગણામાં કે વાડીમાં જ મૃતદેહને દફનાવી દે છે. એટલું જ નહીં તેઓ અહીં તેમનું સ્માકર પણ બનાવે છે. આમ કરી તેઓ તેમની પૂજા રોજ કરે છે. આ ઉપરાંત તેઓ ઘરમાં બનેલી સમાધિ પાસે વર્સી પાઠ પણ કરે છે.