કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરના ગુપકાર જોડાણને ટ્વીટ કરીને ' ગુપકાર ગેંગ' તરીકે ઓળખાવ્યા હતા. એટલું જ નહીં, તેમણે આ ડિક્લેરેશનમાં સામેલ પક્ષકારોને રાષ્ટ્ર વિરોધી પણ ગણાવ્યા છે. જે પછી જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીઓ મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાએ તેમને નિશાન બનાવ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહના ગુપકાર ગઠબંધન પર પ્રહાર
ગુપકાર જોડાણને એન્ટિ નેશનલ ગણાવ્યું
મુફ્તી અને ઓમારે ભાજપ પર કર્યા વળતાં પ્રહાર
ગૃહ મંત્રી અમિત શાહના અનેક ટ્વિટ બાદ મહેબૂબા મુફ્તીએ પણ ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. મહેબૂબા મુફ્તીએ લખ્યું છે કે, ભારતમાં ભાગલા પાડીને અને રક્ષક તરીકે પોતાનો બચાવ કરીને વિપક્ષને આંતરિક અને કાલ્પનિક દુશ્મનો બતાવવાનો ભાજપનો વિચાર હવે જૂનો થઈ ગયો છે. લવ જેહાદ જેવા મુદાઓ ચર્ચાઓનો ભાગ બને છે જ્યારે ચર્ચાનો મુદ્દો બેરોજગારી અને ફુગાવો હોવો જોઈએ."
Old habits die hard. Earlier BJPs narrative was that the tukde tukde gang threatened India’s sovereignty & they are now using ‘Gupkar Gang’ euphemism to project us as anti nationals. Irony died a million deaths since its BJP itself that violates the constitution day in & day out https://t.co/LoODFZuPmd
મહેબૂબાએ વધુમાં લખ્યું છે કે હવે ગઠબંધનમાં ચૂંટણી લડવી પણ રાજદ્રોહ બની ગઈ છે. ભાજપ તેની સત્તા ભૂખ સંતોષવા માટે અનેક ગઠબંધન કરી શકે છે પરંતુ જો આપણે ગઠબંધન કરી રહ્યા છીએ તો તે એન્ટિ નેશનલ છે.
મહેબૂબાએ ત્રીજી ટ્વિટમાં લખ્યું કે આ ભાજપ ની જૂની ટેવ છે. પહેલા ભાજપ કહેતો હતો કે ટુકડે ટુકડે ગેંગ દેશની અખંડિતતા માટે ખતરો છે અને હવે તેઓએ તેને ગુપકાર જોડાણને રાષ્ટ્રદ્રોહી ગણાવવાનું શરૂ કર્યું છે. ખરેખર સાચી વાત તો એ છે કે એ ભાજપ જ છે જે દિવસ રાત બંધારણનું ઉલ્લંઘન કરે છે.
શું કહ્યું ઓમર અબ્દુલ્લાએ અને અમિત શાહે ?
ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે અમિત શાહ જી આ કોઈ ગેંગ નથી. અમે કોઈ ગેંગ નથી પરંતુ રાજકીય ગઠબંધન છીએ જે તમારી આશાઓ સામે લડતું રહ્યું છે અને લડવાનું સતત ચાલુ જ રાખશે.
આગામી ટવીટમાં ઓમરે લખ્યું કે, જમ્મુ અને કાશ્મીરના ફક્ત નેતાઓની અટકાયત કરી શકાય છે અને તેમને ચૂંટણીમાં ભાગ લેવા અને લોકશાહી મૂલ્યોના બચાવ માટે દેશદ્રોહી કહી શકાય. સાચી વાત તો એ છે કે જે કોઈ પણ ભાજપની વિચારધારા સાથે સહમત નથી તેને ભ્રષ્ટ અને દેશદ્રોહી કહેવામાં આવે છે.
Fighting elections in an alliance is also anti-national now. BJP can stitch as many alliances in its hunger for power but somehow we are undermining national interest by putting up a united front.
ઓમરે એમ પણ કહ્યું હતું કે હું આદરણીય ગૃહ પ્રધાનના હુમલા પાછળનો ગુસ્સો સમજી શકું છું. તેમને કહેવામાં આવ્યું હતું કે લોકોનું ગઠબંધન ચૂંટણીનો બહિષ્કાર કરવાની તૈયારી કરી રહ્યું છે. આનાથી ભાજપને જમ્મુ-કાશ્મીરમાં સરળતાથી ચૂંટણી લડવામાં મદદ મળી હોત, પરંતુ અમે આને થવા દીધું નહીં.
Congress and the Gupkar Gang want to take J&K back to the era of terror and turmoil. They want to take away rights of Dalits, women and tribals that we have ensured by removing Article 370. This is why they’re being rejected by the people everywhere.
ગુપકાર ગેંગે ભારતના ત્રિરંગાનું અપમાન કર્યું છે. શું સોનિયાજી અને રાહુલ ગુપકાર ગેંગની આવી ચાલને ટેકો આપે છે? તેઓએ દેશની જનતા સમક્ષ પોતાનું વલણ સાફ કરવું જોઈએ. કોંગ્રેસ અને ગુપકાર ગેંગ જમ્મુ-કાશ્મીરને આતંકના યુગમાં પાછા લઈ જવા માંગે છે. તેઓ દલિતો, મહિલાઓ અને આદિવાસીઓના હકો છીનવા માંગે છે જેને આપણે કલમ 370 ને હટાવીને હટાવ્યા છે.