જમ્મુ કાશ્મીર સહિત ભારતના તમામ રાજ્યોમાં શુક્રવારની સાંજે ભૂકંપના તીવ્ર આંચકાઓ અનુભવાયા હતા.ત્યારે પૂર્વ સીએમ અબ્દુલ્લાનું ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે.
ગઇકાલે ઉત્તર ભારતની ધરા ધ્રુજી ઉઠી હતી
સોશ્યલ મીડિયા પર વાયરલ થાય વીડિયો
JKના પૂર્વ સીએમનું ટ્વિટ પણ વાયરલ
જમ્મુ કાશ્મીરમાં મધરાતે સમગ્ર દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શુક્રવારે રાત્રે તાજિકિસ્તાનમાં તીવ્ર ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં અનુભવાયા હતા. ભૂકંપ વિભાગ દ્વારા પહેલા તો ભૂલથી જણાવવામાં આવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર પંજાબના અમૃતસરમાં 19 કિલોમીટરની ઉંડાઈ પર કેન્દ્રિત હતું. જો કે, બાદમાં સ્પષ્ટતા કરવામાં આવી કે ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાનમાં હતું.
ધાબળો લઈને દોડ્યા પૂર્વ મુખ્યમંત્રી
ભૂકંપે ઘણાં રાજ્યોમાં લોકોમાં ગભરાટ ફેલાવી દીઘો હતો. ભૂકંપનો અસર કેટલો હતો તેના વિશે ખૂદ જમ્મુ- કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કૉન્ફરેન્સ નેતા ઉમર અબ્દુલ્લાહે ટ્વીટ કરી હતી જેમાં તેમણે ભૂકંપ દરમિયાનની પળોના ડર વિશે જણાવ્યું. ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે , જ્યારે ભૂકંપના એ આંચકા આવ્યા ત્યારે તેઓ ધાબળો લઈને બહાર દોડી આવ્યા હતા.
Not since the earthquake of 2005 have the tremors in Srinagar been bad enough to force me out of the house. I grabbed a blanket & ran. I didn’t remember to take my phone & so was unable to tweet “earthquake” while the damn ground was shaking.
ભૂકંપ બાદ ઉમરે ટ્વીટમાં લખ્યું કે, 2005ના ભૂકંપ બાદ શ્રીનગરમાં ક્યારેય ભૂકંપનો આવો આંચકો અનુભવાયો નથી. આજે ભૂકંપ દરમિયાન હું મારા ઘરમાંથી બહાર ભાગી ગયો અને મારો ફોન પણ લેવાનું ભુલી ગયો.
ભૂકંપ વિભાગે જણાવ્યું ભુલનું કારણ
ભૂકંપ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું કે આ ભૂલ સૉફ્ટવેરના કારણે થઈ હતી. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્ર (NCS) એ કહ્યું કે ભૂકંપની તીવ્રતા 6.3 મપાઈ છે. ભૂકંપ રાતે 10 વાગીને 34 મિનિટે આવ્યો હતો. જેમાં જાનમાલના નુકશાનના કોઈ સમાચાર મળ્યા નથી. ભૂકંપથી રાષ્ટ્રીય રાજઘાની દિલ્હી સહિત અનેક જગ્યાએ ભૂકંપનો ગભરાટ ફેલાઈ ગયો હતો. ભૂકંપના ડરથી લોકો ઘરમાંથી બહાર ભાગી નીકળ્યા હતાં.
સોશ્યલ મીડિયામાં ફરતો થયો વીડિયો
મહત્વનું છે કે ભૂકંપના કારણે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં, અનંતનાગ, પુલવામા, રામબન, ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં ભારી ઝટકાઓ અનુભવાયા હતા. જો કે અત્યાર સુધીમાં અહીં ભૂકંપમાં કોઈપણ જામનમાલનું નુકશાન કે અકસ્માતના કોઈ સમાચાર મળ્યા નથી.ભૂકંપની ધટના બાદ કેટલીક તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર ફરતા થતાં જોવા મળ્યા છે.
ભૂકંપ વિભાગે આપી માહિતી
અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપના આંચકા રાતે 10.34 મીનીટે દિલ્હી, એનસીઆર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં અનુભવાયા હતા. આંચકા એટલા તીવ્ર હતા કે ગભરાઈને લોકો ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર તાજિસ્તાનમાં હતુ કે જે જમીનથી 74 કિલોમીટર નીચે હતું.