I had told Mufti Sahib I had no greed for power. I had already served for 6 yrs as a CM & I told him that we don’t want any of our MLAs&MLCs as ministers in govt. I told him that we'll support you unconditionally, but please don’t bring them(BJP) here (J&K): Omar Abdullah (30.11) pic.twitter.com/CiJDorckNv
અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરની સ્થિતી માટે PDPને દોષી ગણાવવામાં આવ્યો છે
નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરની સ્થિતી માટે પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીને દોષી ગણાવવામાં આવ્યો છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે, મે મુફ્તી સાહેબને કહ્યું હતું કે, મને સત્તાની લાલચ નથી. હું પહેલા એક વખત પણ સીએમના રૂપના 6 વર્ષ સુધી સેવા કરી ચુક્યો છું. મે તેમને કહ્યું હતું કે, અમારે પોતાના કોઈ પણ ધારાસભ્યને એમએલસીને સરકારમાં મંત્રી રૂપમાં નથી જોઈતા. અમે વગર શરત તમારુ સમર્થન કરીશું. પરંતુ ભાજપને જમ્મુ-કાશ્મીરમાં ન લાવો
અબ્દુલ્લાએ કહ્યું મહેબુબા મુફ્તિએ અમારી વાત માની હોત તો સ્થિતિ આજે આવી ન હોત
જમ્મુ-કાશ્મીરના વિશેષ અને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહેલા નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ માટે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીને જવાબદાર ઠેરવી છે. તેમણે આરોપ લગાવ્યો કે જો મુફ્તી સાહેબે અમારી વાત માની લીધી હોત તો જમ્મુ-કાશ્મીરની સ્થિતિ આજે આવી ન હોત. મે પહેલા જ તેમને સમર્થન આપવાની વાત કરી હતી પરંતુ તેમને અમારો સાથ પસંદ ના આવ્યો. અને તે વખતે તેમણે બીજેપીનો સાથ જોડાવવાનું નક્કી કર્યું પરંતુ હવે જમ્મુ કાશ્મીરમાં જે સ્થિતી બની ચૂકી છે. તે સૌની સામે છે
આ પહેલા ઓમર અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરને વિશેષ તથા પૂર્ણ રાજ્યનો દરરજો મેળવવા માટે અંતિમ શ્વાસ લઈ લડવાનો સંકલ્પ લઈ ચૂક્યાં છે. તેમણે કેન્દ્રની મોદી સરકાર પર નિશાનો તાકતાં કહ્યું હતું કે, કાશ્મીરમાં બહારથી આંતકવાદીઓ નથી આવ્યાં પરંતુ નારાજગીના કારણે અહીંના જ યુવાનો બંદુક ઉઠાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, અમારા શાસન દરમિયાન જે વિસ્તારોમાં આંતકવાદીયો સંપૂર્ણ રીતે ખતમ થઈ ચુક્યો હતો. ત્યાં આંતકવાદ ફરીથી વધવા લાગ્યો છે. આંતકવાદી કોઈ બહારના દેશોમાંથી નથી આવ્યાં પરંતુ કાશ્મીરના યુવા છે જે ગુસ્સો અને અન્ય કારણો સર હથિયાર ઉઠાવવા તૈયાર થયા છે. તમને જણાવી દઈએ કે, મોદી સરકારે 5 ઓગ્સ્ટ 2019એ એક મોટો નિર્ણય ઉઠાવતાં જમ્મુ-કાશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરરજો છીનવી લીધો હતો. અને અનુચ્છેદ 370 તથા અનુચ્છેદ 35-A ના પ્રવાધાનોને રદ્દ કરી દેવામાં આવ્યો હતો.