J & Kના પૂર્વ મુખ્યમંત્રીએ ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, કેટલાય તથ્ય અલગ દર્શાવાયા છે.દાવામાં તેમની પાર્ટી કાશ્મીરી પંડિતોને ઘાટીમાં પાછા લાવતી,પરંતુ ફિલ્મે બધું જ બરબાદ કર્યું
The Kashmir Files પર ગરમાતી રાજનીતિ
ઉમર અબ્દુલાએ કહ્યું અમારા પ્લાન પર પાણી
અમે કશ્મીરી પંડિતોને પરત લાવવાના હતા - ઉમર
The Kashmir Files પર ઉમર અબ્દુલ્લાએ મોટું નિવેદન આપ્યું છે.તેમની નજરોમાં ફિલ્મના કેટલાય તથ્ય અલગ દર્શાવાયા છે.સાથે એ પણ દાવો કર્યો કે તેમની પાર્ટી કાશ્મીરી પંડિતોને ઘાટીમાં પાછા લાવતી,પરંતુ ફિલ્મે બધું જ બરબાદ કરી દીધું.
ડાયરેક્ટર વિનોદ અગ્નિહોત્રીની ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સ આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે. બોક્સ ઓફીસ પર ફિલ્મની રેકર્ડ બ્રેક કમાણી દર્શાવે છે કે, ફિલ્મે એક આખા વર્ગને પોતાના તરફ આકર્ષિત કર્યો છે. પરંતુ સમાજનો એક વર્ગ એવો પણ છે કે, આ ફિલ્મને પ્રચાર માને છે.અને સત્યથી વેગળો દર્શાવે છે. આં જ સૂચિમાં જમ્મુ-કશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પણ છે.
ફિલ્મ એ જૂઠ દર્શાવ્યું -ઉમર
ઉમર અબ્દુલ્લાએ ધ કશ્મીર ફાઈલ્સ ને કટલાય સંદર્ભમાં સત્યથી દૂર બતાવી દીધી. તેમનું કહેવું છે કે, જો આ ફિલ્મ ડોક્યુમેન્ટરી પણ હોત,તો અમે પણ સમજી શકત. પરંતુ નિર્માતાએ પણ કહ્યું છે કે આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે.પરંતુ સચ્ચાઈ તો એ છે કે, આ ફિલ્માં ખોટા તથ્ય દર્શાવાયા છે. સૌથી મોટું જૂઠ્ તો એ છ એક, ફિલ્મ માં દર્શાવાયું છે કે, તે સમયે નેશનલ કોન્ફરન્સની સરકાર હતી.પરંતુ સચ્ચાઈ તો એ છે કે, ત્યારે કશ્મીર ખીણમાં રાજ્યપાલની શાસન હતું. અને કેન્દ્રમાં પણ ત્યારે વી પી સિંહની સરકાર હતી. અને ભાજપનું તેમને સમર્થન હતું.
પૂર્વ મુખ્યમંત્રીએ એ વાત પર પણ ભાર આપ્યો કે, એ સમયે કાશ્મીરી પંડિતો સિવાય મુસલીમો,સીખોએ પણ પલાયન કર્યો હતો. તેઓના પણ જીવ ગયા હતા. તેઓ માને છે કે, કાશ્મીરી પંડિતોનું ખીણમાંથી જવું દુ;ખદ હતું. દાવો કરાયો છે કે, નેશનલ કોન્ફરન્સ ( NC)પોતાના તરફથી પંડિતોને પરત લાવવાની તૈયારી કરી જ રહી હતી. પરંતુ ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મ એ તેમનો પ્લાન બરબાદ કરી નાખ્યો. ઉમરે રોકડું પરખાવ્યું કે, ફિલ્મ નિર્માતાઓ જ હકીકતમાં કશ્મીરી પંડિતો પરત ના આવે તેવું ઈચ્છી રહ્યા છે.
Many false things have been shown in 'The Kashmir Files' movie. During that time Farooq Abdullah was not J&K's CM but Governor rule was there. VP Singh's govt was there in the country which was backed by BJP: Former Jammu and Kashmir CM Omar Abdullah pic.twitter.com/DN0dMQz5L2
આ પૂર્વે કોન્ગ્રેસના કેટલાક નેતાઓએ પણ આ ફિલ્મ વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. છતીસગઢના CM ભૂપેશ બઘેલે પણ કશ્મીર ફાઈલ્સને અર્ધ સત્ય દર્શાવતી ફિલ્મ કહ્યું હતું.તો શિવસેના નેતા સંજય રાઉતે એક ડગલું આગળ વધતા ફિલ્મને 'એજન્ડા' ગણાવ્યો હતો.
હવે આ આરોપો વચ્ચે ભાજપના નેતા અમિત માલવીયાએ સોશિયલ મીડિયા પર twitte કરતા તેમની પ્રતિક્રિયા આપી હતી.તેઓએ ઉમર અબ્દુલ્લાની એ વાતને નકારી દીધી હતી કે, ફિલ્મમાં બધું જ ખોટું દર્શાવાયું છે. કેટલાય twitte કરી તેઓએ એ સમયની કેટલીક ઘટનાઓ પર પ્રકાશ પાડવાનું કામ કર્યું હતું.
Indira Gandhi appointed Jagmohan as Governor of J&K in 1984 and before resigning in Jul 1989, he had warned Rajiv Gandhi about the dark Islamist clouds threatening the valley. Thereafter Rajiv offered him ticket to contest LS, which he declined.
અમિત લખે છે કે,ઇન્દિરા ગાંધીએ 1984માં જગમોહનને જમ્મુ-કશ્મીરના રાજ્યપાલ બનાવ્યા હતા. તો 1989માં પોતાનું રાજીનામું આપતા પહેલા જગમોહને રાજીવ ગાંધીને ચેતવણી આપી હતી કે, ઘાટીમાં ઇસલામિક વાદળો ઘેરાઈ રહ્યા છે. આ બાદ રાજીવ ગાંધીએ, જગમોહનને લોકસભાની ટીકીટ આપી હતી.પરંતુ તેઓએ તેનો પણ અસ્વીકાર કર્યો.
આગળ લખતા અમિત કહે છે કે,18 જાન્યુઆરી 1990માં ફારુક અબ્દુલ્લાએ રાજીનામું આપ્યું હતું. 22 જાન્યુઆરીએ જગમોહન પાછા ઘાટીમાં આવ્યા હતા.પરંતુ ત્યારે ઘાટીને જેહાદિઓએ પૂરેપૂરું કબજે કરી લીધું હતું. મસ્જિદોમાથી ઘોષણા થઇ રહી હતી કે કાશ્મીરી પંડિત ધર્મ પરિવર્તન કરી લે અથવા તો છોડી દે,અથવા મરી જાય. પરંતુ ત્યારે કાયરોની માફક ફારૂકે હિન્દુઓને દગો આપ્યો.
આમ તો આ ફિલ્મના વખાણ અને નિંદા બંને થઈ રહ્યા છે. પરંતુ મુદ્દો એટલો સંવેદનશીલ છે.એવામાં ફિલ્મ નિર્માતાની સુરક્ષા પોતે જ મોટો પડકાર બન્યો છે.એટલા માટે જ કેન્દ્ર એ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. Y શ્રેણીની સુરક્ષામાં કુલ 8 જવાનો તહેનાત રહે છે.