‘મીટ ધ ચેમ્પિયન્સ’ પ્રોગ્રામ હેઠળ 75 સ્કૂલોની મુલાકાત લેશે
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા બાદ આખી દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું જે બાદ દેશમાં પણ નીરજ ચોપડાના એટલા જ વખાણ અને પ્રશંસા મળી છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આહ્વાનને પગલે આજે નીરજ ચોપડા ગુજરાતના મહેમાન બનવાના છે.
આજે ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપડા અમદાવાદ આવશે
ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં નીરજ ચોપરાએ સુવર્ણચંદ્રક હાંસલ કર્યો હતો અને પૂરી દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો હતો. જે બાદ દેશ અને દુનિયામાં નીરજ ચોપડાનું નામ જાણીતું બન્યું છે. મહત્વનું છે કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત PM મોદીએ દેશના ખેલાડીઓને વિવિધ સ્કૂલોની મુકાલાત માટે જવાનું આહવાન કર્યું હતું જે બાદ ‘મીટ ધ ચેમ્પિયન્સ’ પ્રોગ્રામ હેઠળ 75 સ્કૂલોની મુલાકાત લેશે. એટલું જ નહીં તેઓ 75માં સ્વતંત્રતા દિવસ પૂર્વે 75 સ્કૂલોની મુલાકાત લેશે.
આજે અમદાવાદના બોપલ નજીક મણિપુર ખાતે સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમીની મુલાકાત લેશે. આ સ્કૂલના કેટલાંક વિદ્યાર્થીઓ સાથે રૂબરૂમાં તેમજ વીડિયો-કોન્ફરન્સિંગથી જોડાઈને ચોપરા કૂપોષણની બદી દૂર કરવાનો સંદેશ આપશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના જીવનમાં સમતોલ આહાર તેમજ ફિટનેસની મહત્ત્વતા પણ નીરજ ચોપડા સમજાવશે અને વિદ્યાર્થીઓ સાથે ભોજન લેશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના નાકે મણિપુર ગામ પાસે 125 એકર વિસ્તારમાં ફેલાયેલી સંસ્કારધામ સ્કૂલની શરૂઆત જૂન, 1992માં થઈ હતી.અહીં શૈક્ષણિક મહત્વની સાથે સાથે રમતને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે. અહીંથી ખેલાડીઓ તૈયાર થઈને ઓલિમ્પિકમાં પણ ભાગ લઈ ચૂક્યાં છે. મહત્વનું છે કે ઓલિમ્પિયન્સ રમતવીરો ‘મીટ ધ ચેમ્પિયન્સ’ પ્રોગ્રામ હેઠળ 2023ના 75મા સ્વતંત્રતા દિવસ પૂર્વે 75 ભારતીય સ્કૂલોની આવી મુલાકાત લે તેવું PM મોદીએ આહ્વાન કર્યું હતું જેને લઈ આજે નીરજ ચોપડા આ સ્થળેની મુલાકાતે લઈ લેશે.
અનુરાગ ઠાકુરે બુધવારે ટ્વીટ કરીને આપી હતી જાણકારી
મહત્વનું છે કે કેન્દ્રીય રમત-ગમતમંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે ટ્વીટ કરીને નીરજ ચોપરાથી ‘મીટ ધ ચેમ્પિયન્સ’ પ્રોગ્રામ અંતર્ગત દેશમાં વિવિધ સ્કૂલોની મુકાલાત અંગેની માહિતી આપી હતી. વડાપ્રધાન મોદીએ આ પ્રોગ્રામ હેઠળ ટોકિયો ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિકના વિજેતાઓને યુનિક શાળા મુલાકાત મિશનનું આહ્વાન કર્યું હતું. આ હેઠળ વિવિધ ઓલિમ્પિયન્સ ખેલાડીઓ ભારતની અલગ અલગ શાળાઓમાં જઈને જીવનમાં ફિટનેસ અને સ્પોર્ટ્સની મહત્તાનો સંદેશો આપશે.