સુરતના ઓલપાડની શાળામાં બાળકોની બચત બેંક શરું કરવામાં આવી છે. જેની પાછળનો હેતું બાળકોનાં સારાં સ્વાસ્થ્યનો છે. તમને થતું હશે કે પૈસાની બચતને સ્વાસ્થ્ય સાથે શું લેવાં દેવાં છે? હા, લેવાં દેવાં છે, કેવી રીતે? એ સમજવા માટે આપણે આ બચત બેંકનાં વિચારને અમલમાં મુકનારાં સ્કુલનાં પ્રિન્સિપલને આ વિચાર કેવી રીતે આવ્યો એ સમજવું પડશે.
સ્કૂલમાં બાળકો નાસ્તાના પૈસા બચાવી બચત બેંક ચલાવે છે
સૌથી વધારે પૈસા બચાવનારને પ્રોત્સાહિત કરાય છે
ઉઘડતી સ્કુલે બાળકોને ગયા વર્ષે બચાવેલાં પૈસા એક સાથે પાછા અપાય છે
કઈ ગામની શાળા છે આ?
ચાણક્યએ સાચું કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ દોનો ઉસકી ગોદમે પલતે હૈ. આ શિક્ષક બાળકોની બચત અને સ્વાસ્થ્યને શું સંબંધ છે. તે ઓલપાડની ગોથણ ગામની બંગર પ્રાથમિક શાળાનાં શિક્ષક અને પ્રિન્સિપલ ભરતભાઇ એસ. પ્રજાપતિ બહું સારી રીતે સમજ્યાં છે. ગામની આ પ્રાથમિક શાળામાં હળપતિ સમાજનાં 1થી5 ધોરણમાં 41 બાળકો અભ્યાસ કરે છે.
કેવી રીતે વિચાર આવ્યો ?
આ બાળકોનાં માતા-પિતા મજુરી કામ કરતાં હોય છે. માતા -પિતા મજુરી કામે જતાં પહેલાં રોજ બાળકોને 10થી 20 રુપિયાં વાપરવા માટે આપતાં હતાં. બાળકો આ પૈસાનો ઉપયોગ પેકેટમાં આવતાં સેવ, વેફર અને અન્ય નાસ્તાં ખરીદી માટે કરતાં હતાં. જેનું વધુ પડતું સેવન તેમનાં સ્વાસ્થય માટે હાનિકારક છે. આ દ્રશ્ય સ્કુલનાં પ્રિન્સિપલની નજરે પડ્યું તેમને બાળકોની ચિંતા થઈ અને બચત બેંકનો વિચાર આવ્યો.
આ રીતે શરુ થઇ બચત બેંક
આ અંગે વાત કરતાં પ્રિન્સિપલ ભરતભાઈ એસ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, માતા પિતા મજુરીએ જતાં હોઈ તેઓ બાળકોને ભુખ લાગે તો તે બહારથીં કંઈ પણ ખરીદીને ખાઈ શકે તે માટે પૈસા આપતાં હોય છે. જો કે સ્કુલમાં મધ્યાહન ભોજન મળતું હોવાથી તેમને પૈસા વાપરવાનીં જરુર હોતી નથી. બીજું કે પૈસા વપરાય તેનો સવાલ નહોતો, પણ રોજ આવો ખોરાક ખાઈને બાળકોનાં સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. એ કારણથી મે નક્કી કર્યું કે બાળકોનાં પૈસા નાસ્તામાં ન વપરાય તે માટે બચત બેંક શરું કરી.'
આજે બાળકો વર્ષે 6થી 7 હજાર બચાવે છે
પ્રિન્સિપલે બાળકોને ચાર વર્ષથી શરુ થયેલી આ બચત બેંકમાં શરુઆતમાં બાળકોએ 750 થી 800ની બચત કરી હતી. હવે આ બાળકોની બચત 6થી 7 હજાર જેટલી થઈ ગઈ છે. બાળકો બચત બેંકમાં પૈસા મુકવા પ્રોત્સાહિત થાય તે માટે પ્રિન્સિપલે જે સૌથી વધારે બચત કરે તેમને વર્ષે પ્રોત્સાહિત કરવાનું શરું કર્યું હતું. વળી બચેલાં પૈસા નવાં વર્ષે બાળકોને એક સાથે આપવામાં આવે છે. બાળકો આ પૈસામાંથી તેમને જરુરી સ્ટેશનરી ખરીદતાં હોય છે. સ્કુલનાં આ પ્રયોગથી બાળકોનું સ્વાસ્થ્ય પણ સુધર્યું અને બચત પણ થઈ.