દેશભરમાં ગણેશ ઉત્સવની ધૂમ છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તેમનું આગમન ઘરોમાં થઈ ચુક્યું છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એવા ઘણા પ્રાચીન ગણેશ મંદિરો છે જેમના દર્શન માત્રથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
દેશભરમાં ગણેશ ઉત્સવની ધૂમ
આ પ્રાચીન મંદિરોના કરો દર્શન
ગણેશ ઉત્સવના 10 દિવસ રહે છે ભક્તોની ભીડ
સિદ્ધિવિનાયક મંદિર, મુંબઈ
દેશના સૌથી જૂના મંદિરોમાંનું એક, સિદ્ધિવિનાયક મંદિરની સ્થાપના વર્ષ 1081માં લક્ષ્મણ વિથુ અને દેવ બાઈ પાટીલ દ્વારા કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થીના અવસર પર દર વર્ષે લાખો ભક્તો અને યાત્રીઓ અહીં દર્શન માટે પહોંચે છે.
મોતી ડુંગરી મંદિર, જયપુર
રાજસ્થાનની રાજધાની જયપુરને ઐતિહાસિક નગરી પણ માનવામાં આવે છે. કારણ કે તે જૂના કિલ્લાઓ કે ઈમારતો ધરાવતું શહેર છે. પિંક સિટીમાં ભગવાન ગણેશનું 250 વર્ષ જૂનું મંદિર છે. જેને મોતી ડુંગરી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. 10 દિવસના ગણેશોત્સવમાં દર વર્ષે હજારો ભક્તો અહીં આવે છે.
શ્રી વિનાયક દેવારુ મંદિર, કર્ણાટક
લગભગ 1500 વર્ષ જૂનું શ્રી વિનાયક દેવારુ મંદિર કર્ણાટકના ઈદગુંજીમાં આવેલું છે. આ મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ ગોકર્ણ મંદિરની પ્રતિમા સાથે ઘણી મળતી આવે છે. આ મૂર્તિમાં ભગવાન ગણેશના એક હાથમાં કમળનું ફૂલ છે અને બીજા હાથમાં મોદક છે.
મનાકુલા વિનાયગર મંદિર, પુડુચેરી
દક્ષિણ ભારતમાં પુડુચેરીમાં ભગવાન ગણેશનું એક પ્રાચીન મંદિર છે. જે મનાકુલા વિનયગર તરીકે ઓળખાય છે. આ મંદિરમાં ભગવાન ગણેશ સાથે જોડાયેલી વાતો ચિત્રો દ્વારા દર્શાવવામાં આવી છે. શાસ્ત્રોમાં જણાવેલ ગણપતિના 16 સ્વરૂપોની તસવીરો પણ અહીં જોઈ શકાય છે.