60 વર્ષથી વધુ ઉંમરનાં વૃદ્ધો અને 45થી 60 વર્ષની વચ્ચેનાં ગંભીર બીમારી ગ્રસ્ત લોકોને કોરોના વેક્સિન લગાવવાનાં ઘણાં વિકલ્પો ઉપલબ્ધ રહેશે. જ્યારે ગંભીર બીમારીથી ગ્રસ્ત લોકો માટે અમુક શરત રાખવામાં આવી છે જાણો કઈ.
કોરોના વેક્સિન લગાવવાનાં ઘણાં વિકલ્પો ઉપલબ્ધ
45થી 60 વર્ષની વચ્ચેનાં લોકો જાતેજ વેક્સિન માટે દિવસ અને સ્થળ પસંદ કરી શકશે
આશા વર્કર્સ અને અન્ય સ્વાસ્થ્ય કર્મચારીને પણ જવાબદારી સોંપાઈ
ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિન લઈ શકાશે
45થી 60 વર્ષની વચ્ચેનાં લોકો જાતેજ કોવિડ પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિન લગાવવાનો દિવસ અને સ્થળ પસંદ કરી શકે છે. અગાઉથી રજિસ્ટ્રેશન ના કરાવનાર વૃદ્ધ તેનાં નજીકનાં વેક્સિન સેન્ટર પર જઈને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિન લઈ શકે છે. તે ઉપરાંત આશા વર્કર્સ અને અન્ય સ્વાસ્થ્ય કર્મચારીને પણ પોત-પોતાના વિસ્તારોમાં વૃદ્ધોની જાણકારી મેળવીને તેમને વેક્સિન સેન્ટર લાવવાની જવાબદારી રહેશે.
વેક્સિન માટે વિવિધ કેન્દ્રો ખોલાશે
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોનાં સ્વાસ્થ્ય સચિવોને નેશનલ હેલ્થ મિશનનાં પ્રમુખોને એક માર્ચથી શરુ થવા જનાર કોરોનાના મોટા પ્રમાણમાં રસિકરણની રીત અંગે વિસ્તારથી જણાવ્યું અને તેમની આશંકાઓનું સમાધાન કર્યું. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર સરકારી વેક્સિન સેન્ટર પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો, સહયોગી સ્વાસ્થ્ય કેન્દ્રો, આયુષ્માન ભારત અંતર્ગત આવનાર હેલ્થ અને વેલનેસ સેન્ટરો, સબ ડિવિઝનલ અને જિલ્લા હોસ્પિટલો અને મેડિકલ કોલેજ હોસ્પિટલોમાં ખોલવામાં આવી શકે છે.
આ દસ્તાવેજો લાવવા પડશે
તેવી જ રીતે પ્રાઇવેટ વેક્સિન સેન્ટર સીજીએચએસ અને આયુષ્માન ભારતની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત માન્યતા પ્રાપ્ત કેન્દ્રોની સાથે સાથે રાજ્યોની સ્વાસ્થ્ય વીમા યોજનાઓ અંતર્ગત રજિસ્ટર્ડ હોસ્પિટલોમાં ખોલવામાં આવશે. રાજ્ય સરકારોને પહેલીવાર પ્રાઇવેટ હોસ્પિટલોમાં શરુ થવા જઈ રહેલા રસિકરણ દરમિયાન કોરોનાની ગાઈડલાઇનનું પાલન સુનિશ્ચિત કરવા અંગે આદેશ અપાયા છે. રાજ્યોને તે પણ કહેવામાં આવ્યુ છે કે, ઉંમરની તપાસ માટે લાભાર્થીઓને કયા કયા દસ્તાવેજો લાવવા પડશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, તેનાં માટે આધાર કાર્ડ અને ઈલેક્શન કાર્ડની સાથે કોઈ પણ ફોટો ઓળખ પત્ર બતાવવુ પડશે. જેમાં જન્મ તારીખ દર્શાવેલી હોય. વરિષ્ઠ અધિકારી મુજબ તેમાંથી એક પણ દસ્તાવેજને બતાવીને લાભાર્થી વેક્સિન લગાવી શકે છે.
બીમારીનું સર્ટિફિકેટ આપવુ પડશે
કોઈ ગંભીર બીમારીથી ગ્રસ્ત 45થી 60 વર્ષની વચ્ચેનાં લાભાર્થીને તે ઉપરાંત રજિસ્ટર્ડ ડોક્ટર દ્વારા આપવામાં આવેલ બીમારીનું સર્ટિફિકેટ આપવું પડશે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર તે દરમિયાન જે પહેલા છુટી ગયા હતા તે હેલ્થકેર અથવા ફ્રન્ટલાઇન વર્કર્સ પણ વેક્સિન લઈ શકે છે. પણ તેની ઉંમર 60 વર્ષથી વધુ અથવાતો 45થી 60 વર્ષની વચ્ચે ગંભીર બીમારીથી ગ્રસ્ત હોવી જરુરી છે. એવા હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ માટે નિયુક્તા તરફથી જાહેર કરવામાં આવેલ ફોટો સહિતનું પત્ર કે સર્ટિફિકેટ બતાવવુ પડશે. કોવિડ પ્લેટફોર્મ પર રજિસ્ટર થયા અને પહેલો ડોઝ લેતા જ ક્યુઆર કોડ પર આધારિત અસ્થાયી સર્ટિફિકેટ અને બીજા ડોઝ લીધા બાદ સ્થાયી સર્ટિફિકેટ જાહેર કરી દેવામાં આવશે. લાભાર્થીનાં મોબાઈલ પર આ સર્ટિફિકેટની લિંક મોકલવામાં આવશે જેને સરળતાથી ડાઉનલોડ કરવામાં આવશે. વેક્સિન સેન્ટર પર તેની પ્રિન્ટઆઉટ લેવાની પણ સુવીધા રહેશે.