2014ની લોકસભાની ચૂંટણીમાં તે સમયનાં ગુજરાતનાં મુખ્યમંત્રી એવાં નરેન્દ્ર મોદી વડોદરા લોકસભાની ચૂંટણી લડ્યાં હતાં. જે સમયે તેમની રેલીથી લઇને બે જાહેર સભામાં મંડપ-ડેકોરેશન કરનારા લોકોને પણ યાદ કરીને પોતાનાં અંગત એકાઉન્ટમાંથી ચેક દ્વારા પેમેન્ટ કર્યુ હતું. એક જનનાયક તરીકેની તેમની આ સૌજન્યતાને આજે પણ વડોદરાનાં શ્યામલાલા ફરાસખાનાવાળાંએ હૃદયમાં જ નહીં પરંતુ દેના બેંકની પાણીગેટ શાખામાં નોટિસ બોર્ડ પર પણ સંઘરી રાખી છે.
2014ની લોકસભાની ચૂંટણીમાં તે સમયનાં ગુજરાતનાં મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી ઉપરાંત વડોદરા બેઠક પરથી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. તે સમયે વડોદરામાં સૌથી વધારે મતોની સરસાઇ સાથે શહેર વાસીઓએ નરેન્દ્ર મોદીનાં માથે જીતનો તાજ પહેરાવ્યો હતો. તે સમયે નરેન્દ્ર મોદીએ વડોદરા શહેરમાં એક રેલી અને બે જાહેર સભા યોજી હતી. જેમાં મંડપ-ડેકોરેટર્સનું કામ શહેરનાં શ્યામ ફરાસખાનાવાળા લાલાભાઇ શ્યામવાલાને આપવામાં આવ્યું હતું. આજે જ્યારે પ્રધાનમંત્રી મોદી ફરી વાર લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે ત્યારે વર્ષ-2014માં નરેન્દ્ર મોદી માટે જેને સભાસ્થળોની તૈયારી કરવાનો મોકો મળ્યો હતો તે વડોદરાનાં જ શ્યામ ફરાસખાનાવાળા લાલાભાઇ શ્યામવાલાએ પ્રસંગને યાદ કરી રહ્યાં છે.
વર્ષ-2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીનાં સભા સ્થળનાં મંડપ-ડેકોરેટર્સનું કામ શહેરનાં શ્યામ ફરાસખાનાવાળા લાલાભાઇ શ્યામવાલાને આપવામાં આવ્યું હતું. જેનું બીલ અંદાજે રૂ.5 લાખની આસપાસ થયું હતું. ત્યારે બીલ મંગાવવા તેમજ તેનું પેમેન્ટ કરવામાં નરેન્દ્ર મોદીએ અંગત રસ રાખ્યો હતો. તેમજ પોતાનાં અંગત એકાઉન્ટમાંથી ત્રણ ચેક આપીને બીલની ચૂકવણી પણ કરી હતી. એક જનનાયકની સૌજન્યતા લાલાભાઇ આજે પણ ભૂલી શક્યાં નથી. આથી જ નરેન્દ્ર મોદીએ જ્યારે વડોદરાથી ઉમેદવારી નોંધાવવી હતી ત્યારે તેમનાં માટે કામ કરવું એ પોતાનાં માટે ગર્વની વાત ગણાવી રહ્યાં છે.
એટલું જ નહીં. જેનાં બીલની કોઇ આશા પણ રાખી ન હતી. તે બિલનું પેમેન્ટ નરેન્દ્રભાઈએ તેમણે જાતે તેમનાં અંગત એકાઉન્ટમાંથી ચેક દ્વારા સહી કરીને લાલાભાઈ શ્યામવાલાને મોકલી આપ્યાં. જ્યારે શ્યામ ફરાસખાનવાળાને આ ચેક મળ્યાં ત્યારે નરેન્દ્રભાઈ એક સીએમ મટીને પીએમ બની ગયાં હતાં. ત્યારે પોતાનાં હાથમાં આ દેશનાં એક પ્રધાનમંત્રીની સહીવાળાં ચેક આવ્યાં આ ઘટનાએ તેમને ગદગદીત કરી દીધાં. લાલાકાકા પાસે નરેન્દ્રભાઈની સહીવાળાં અને નરેન્દ્રભાઇનાં પર્સનલ એકાઉન્ટમાંથી આપેલાં ચેક છે જેને હાથમાં લઈને આજે પણ લાલાકાકા ખૂબ ગર્વ અનુભવી રહ્યાં છે. લાલાભાઈ શ્યામવાલા એ દિવસને ભૂલી શક્યાં નથી અને ભૂલવા માંગતા પણ નથી.
લાલકાકા પોતાનાં તમામ સ્મરણો વીટીવીનાં કેમેરા સામે વાગોળે છે ત્યારે તેમની આંખોમાં એ ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે. આજે પણ 2019ની લોકસભા ચૂંટણી સમયે એ જ વડોદરાની બેઠક ઉપર લડી રહેલાં ઉમેદવારોનાં પ્રચાર અને સભાઓનાં તામજામ વખતે લાલાકાકા સામે 2014ની લોકસભાની પ્રચાર સભાઓની તૈયારીઓનાં એ દિવસો તરોતાજા થઈ જાય છે. પોતે ગુજરાત જેવાં વિકાસશીલ રાજ્યનાં એક મુસ્લિમ વેપારી હોવાનું અને એક ભારતીય મુસ્લિમ હોવાનું ગૌરવ અને ગર્વ અનુભવી રહ્યાં છે.